હવે પક્ષની સફાઈમાં લાગ્યા મોદી, MP-MLAને કહ્યું- નવેમ્બર-ડિસેમ્બરના બેંક વ્યવહારની વિગતો આપે
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
1
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના તમામ સાંસદો અને એમએલએને કહ્યું કે, તે 8 નવેમ્બરથી 31 ડિસેમ્બર, 2016ની વચ્ચે તેમના ખાતામાં થયેલા તમામ ટ્રાન્ઝેક્શનની વિગતો ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને આપે.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
ભાજપ સંસદીય દળની બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એ પણ કહ્યું કે, સોમવારે લોકસભામાં રજૂ કરવામાં આવેલ આઈટી સંશોધન બિલ કાળા નાણાંને સફેદ કરવા માટે નહીં, પરંતુ ગરીબો પાસેથી લૂંટવામાં આવેલ રકમનો તેમના જ કલ્યાણ માટે ઉપયોગ કરવા માટે છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -