પીએમ મોદી ચેન્નાઇ-અમિત શાહ કર્ણાટક સહિત બીજેપીના બધા સાંસદ 600 જિલ્લાઓમાં ઉપવાસ પર
નવી દિલ્હીઃ વિપક્ષના ગતિરોધના કારણે બજેટ સત્રને યોગ્ય રીતે ચાલવા ના દેવાના વિરોધમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉપવાસ પર છે. તેમની સાથે ભાજપના મોટા નેતા અને કેટલાક કેન્દ્રીય મંત્રીઓ પણ તેમનો સાથ આપી રહ્યાં છે. સાથે દેશભરમાં પાર્ટી નેતા અને કાર્યકર્તા પણ આમાં સામેલ થયા છે.
રાજનાથ સિંહ, ધર્મેન્દ્ર પ્રધાન અને સુરેશ પ્રભુ દિલ્હી, જેપી નડ્ડા બનારસ, રવિશંકર પ્રસાદ પટનામાં ઉપવાસ પર બેઠા છે. નિર્મલા સીતારમણ ચેન્નાઇ, પ્રકાશ જાવડેકર બેગ્લુરં, વિજય ગોયલ તામિલનાડ઼ુ, એમજે અકબર વિદિશા મધ્યપ્રદેશ, કેજે અલ્ફોન્સ કેરાલામાં છે. સાથે જ બધા સાંસદો પોતાના સંસદીય વિસ્તારોમાં કાર્યક્રમમાં ભાગ લેશે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ હુબલીમાં ઉપવાસ પર બેઠા છે. કેન્દ્રીય મંત્રી પીયુષ ગોયલ થાણેમાં કાર્યકર્તાઓની સાથે ઉપવાપસ પર બેઠા છે.
ઉત્તરપ્રદેશના ઉન્નાવની દૂષ્કર્મ પીડિતા છોકરીના પિતાનું સોમવારે પોલીસ કસ્ટડીમાં જ મોત થઇ ગયું હતું. છોકરી ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીના ઘરની બહાર પોતાને આગ લગાવવાની કોશિશ કરી, તે પહેલા છોકરીને ભાજપના ધારાસભ્ય કુલદીપ સિંહ સેન્ગર દ્વારા સામૂહિક બળાત્કારના મામલે પોલીસ પર કાર્યવાહી નહી કરવાનો આરોપ લગાવ્યો હતો. યોગી આદિત્યનાથે આ મામલે સીબીઆઇ તપાસનો નિર્ણય કર્યો છે.
રાહલુ ટ્વીટ કર્યું, અમે આશા રાખીએ છીએ કે વડાપ્રધાન જલ્દી ભાજપ શાસન અંતર્ગત મહિલાઓ વિરુદ્ધ અત્યાચાર, વધતી અરાજકતાને લઇને ઉપવાસ કરશે.
વડાપ્રધાન મોદીએ ઓડિયા કૉન્ફરન્સિંગના માધ્યમથી ભાજપના નેતાઓને સંબોધિત કરતા બુધવારે કહ્યું હતું કે, વિસ્તારની જે સમસ્યાઓ સંસદમાં ઉઠાવવાની હતી, તેને હવે જનતામાં ઉઠાવે. વડાપ્રધાન પોતાના અધિકારીક કાર્યોને કરતાં કરતાંજ ઉપવાસ રાખશે. વળી ભાજપ અધ્યક્ષ અમિત શાહ ચૂંટણી રાજ્ય કાર્ણાટકના હુબલીમાં ઉપવાસ કરશે.
આ અંગે ભાજપે સાંસદોને કહ્યું છે કે, તે પોતાના વિસ્તારમાં ઉપવાસ પર વિપક્ષી દળો વિશે જણાવે કે કઇ રીતે સંસદમાં કાર્યવાહી નથી થઇ શકી.
સંસદમાં બજેટ સત્રનો બીજો ભાગ વિપક્ષી દળોનો વિરોધ પ્રદર્શનના કારણ વિના કોઇ કાર્યવાહી છ એપ્રિલે સમાપ્ત થઇ ગયું હતું. વડાપ્રધન મોદીના ઉપવાસને લઇને વિપક્ષી દળો કટાક્ષ કરી રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું હતું કે, આશા છે કે મોદી ઉત્તરપ્રદેશમાં તાજેતરમાં જ હિરાસતમાં થયેલી મોત પર પણ ઉપવાસ કરશે.
અત્યાર સુધી સત્તાનો વિરોધ કરવા લોકોનું મુખ્ય હથિયાર ઉપવાસ બનતુ હતું, પણ આજે સરકાર જ ઉપવાસ પર છે. સંસદનું બજેટ સત્રમાં ખલેલ પહોંચાડવા બદલ વિપક્ષથી નારાજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપના તમાન મંત્રી અને સાંસદ દેશના અલગ અલગ શહેરોમાં ઉપવાસ પર બેઠા છે