PM મોદી ત્રણ દેશોના પ્રવાસે રવાના , UAEમાં કરશે સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ

12 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી ઓમાનના સીઇઓના ગ્રુપ સાથે ચર્ચા કરશે. તે શિવ મંદિર જશે. વડાપ્રધાન મોદી ત્યાંના બે નાયબ વડાપ્રધાન સાથે ચર્ચા કરશે. ભારત અને ઓમાન વચ્ચે નજીકના સંબંધો છે. બંન્ને દેશો વચ્ચે સૈન્ય અભ્યાસો પણ થયા છે.
11 ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન મોદી યુએઇના શહીદ સૈનિકોના સ્મારક જશે. મોદી યુએઇમાં એક હિન્દુ મંદિરની શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે. મોદીની છેલ્લા પ્રવાસ દરમિયાન ત્યાં એક હિન્દુ મંદિર બનાવવાને લઇને વાત સામે આવી હતી.
મોદી 2015મા પ્રથમવાર યુએઇ ગયા ત્યારે બંન્ને દેશોના સંબંધો વધુ મજબૂત બન્યા હતા. છેલ્લા વર્ષે ગણતંત્રના દિવસે યુએઇના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદસદ બિન જાયેદ અલ નહયાન મુખ્ય અતિથિ હતા.
મોદી પ્રથમ પેલેસ્ટાઇન જશે જ્યાં તેઓ દિવંગત યાસર અરાફાત મ્યૂઝિયમ જશે. ત્યારબાદ મોદી પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ સહિત ત્યાંના નેતાઓ સાથે ચર્ચા કરશે. ભારત અને ઇઝરાયલ વચ્ચે વધતા સહયોગ વચ્ચે પેલેસ્ટાઇન સાથેના સંબંધોને સંતુલિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી પેલેસ્ટાઇન, યુએઇ અને ઓમાનની ચાર દિવસની યાત્રા પર જઇ રહ્યા છે. વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન ભારત અને આ દેશો વચ્ચે વ્યાપાર, રોકાણ, સુરક્ષા અને આતંકવાદ વિરુદ્ધ સહયોગ, ઉર્જા સહિત દ્ધિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર જોર કરી આપવામાં આવશે. સંયુક્ત આરબ અમીરાતમાં વડાપ્રધાન મોદી બોચાસણવાસી શ્રીઅક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણના મંદિરનો શિલાન્યાસ પણ કરશે.