નીરવ મોદી અને મેહૂલ ચોક્સીને કોર્ટે સમન્સ મોકલ્યું, સપ્ટેમ્બરમાં રજૂ થવા આદેશ
ઉલ્લેખનીય છે કે ઈડીએ પીએમએલએ કોર્ટમાં બંનેની વિરૂદ્ધમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. નીરવ મોદી અને મેહૂલ ચોક્સી ઉપર ફર્જી લેટર ઓફ અંડરટેકિંગથી પંજાબ નેશનલ બેંકને 13400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. આ બંનેની વિરૂદ્ધમાં સીબીઆઈ, ઈડી સહિતની અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસ કરી રહી છે.
કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીએ 25 અને 26 સપ્ટેમ્બરે કોર્ટની સામે હાજર થવું પડશે. કોર્ટ તરફથી આ આદેશ ઈડીની અરજી પર જાહેર કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં 13400 કરોડ રૂપિયા કરતા વધારેનું કૌભાંડ કરનાર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની સામે સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટે જાહેર કર્યું છે.
કોર્ટ તરફથી મોકલવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીએ 25 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવું પડશે, જ્યારે મેહૂલ ચોક્સીએ 26 સપ્ટેમ્બરના હાજર રહેવું પડશે.