✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નીરવ મોદી અને મેહૂલ ચોક્સીને કોર્ટે સમન્સ મોકલ્યું, સપ્ટેમ્બરમાં રજૂ થવા આદેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Jul 2018 04:50 PM (IST)
1

ઉલ્લેખનીય છે કે ઈડીએ પીએમએલએ કોર્ટમાં બંનેની વિરૂદ્ધમાં અલગ-અલગ અરજીઓ દાખલ કરી છે. નીરવ મોદી અને મેહૂલ ચોક્સી ઉપર ફર્જી લેટર ઓફ અંડરટેકિંગથી પંજાબ નેશનલ બેંકને 13400 કરોડ રૂપિયાનો ચૂનો લગાવવાનો આરોપ છે. આ બંનેની વિરૂદ્ધમાં સીબીઆઈ, ઈડી સહિતની અન્ય તપાસ એજન્સીઓ સતત તપાસ કરી રહી છે.

2

કોર્ટ તરફથી જાહેર કરવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદી અને મેહૂલ ચોક્સીએ 25 અને 26 સપ્ટેમ્બરે કોર્ટની સામે હાજર થવું પડશે. કોર્ટ તરફથી આ આદેશ ઈડીની અરજી પર જાહેર કરવામાં આવ્યો છે.

3

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંકમાં 13400 કરોડ રૂપિયા કરતા વધારેનું કૌભાંડ કરનાર નીરવ મોદી અને મેહૂલ ચોક્સીની સામે સમન્સ જાહેર કરવામાં આવ્યું છે. આ સમન્સ પ્રિવેન્શન ઓફ મની લૉન્ડ્રિંગ એક્ટ (PMLA) કોર્ટે જાહેર કર્યું છે.

4

કોર્ટ તરફથી મોકલવામાં આવેલા સમન્સમાં કહેવામાં આવ્યું છે કે નીરવ મોદીએ 25 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર થવું પડશે, જ્યારે મેહૂલ ચોક્સીએ 26 સપ્ટેમ્બરના હાજર રહેવું પડશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • નીરવ મોદી અને મેહૂલ ચોક્સીને કોર્ટે સમન્સ મોકલ્યું, સપ્ટેમ્બરમાં રજૂ થવા આદેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.