✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુષ્મા સ્વરાજે એન્ટીગુઆના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત, મેહુલ ચોકસીને પરત લાવવા માંગી મદદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  27 Sep 2018 07:59 AM (IST)
1

નવી દિલ્હીઃ દેશ છોડીને ફરાર થઈ ગયેલા ડાયમંડ કારોબારી મેહુલ ચોકસીના પ્રત્યાર્પણ માટે એન્ટીગુઆ દ્વારા ભારતને પૂરી મદદનો ભરોસો આપવામાં આવ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે એન્ટીગુઆના વિદેશ મંત્રી ઈપી ચેટ ગ્રીન સાથે મુલાકાત કરી હતી. મુલાકાત બાદ ચેટ ગ્રીને સુષ્મા સ્વરાજને શક્ય તમામ મદદ કરવાનો ભરોસો આપ્યો હતો.

2

ભારતે 3 ઓગષ્ટ 2018ના રોજ મેહુલ ચોકસીના પ્રત્યાર્પણને લઈ એન્ટીગુઆ સરકારને પત્ર લખ્યો હતો. જોકે મામલે દોઢ મહિના બાદ પણ મહેલુ ચોકસીની એન્ટીગુઆ સરકાર તરફથી ન તો ધરપકડ કરવામાં આવી છે કે ન તો પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ થઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ એન્ટીગુઆ સરકારી તેના દેશમાં કાનૂની પ્રક્રિયાનો ઉલ્લેખ કરીને ભારતને કોર્ટની કાર્યવાહી પૂરી થયા બાદ સરકાર આ અંગે મદદ કરશે તેમ જણાવ્યું છે.

3

વિદેશ મંત્રાલયના જણાવ્યા મુજબ, આ મુલાકાત દરમિયાન સુષ્મા તેના સમકક્ષ ગ્રીનને એવો સંદેશો આપવાની કોશિશ કરી હતી કે ચોકસી ભારતમાં એક મોટું કૌભાંડ કરીને અહીં સ્થાયી થઈ ગયો છે. તેના પ્રત્યાર્પણને લઇ ઘણી આશા છે. આ અંગે ભારત પહેલા જરૂરી દસ્તાવેજ આપીને પ્રત્યાર્પણનો આગ્રહ કરી ચુક્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સુષ્મા સ્વરાજે એન્ટીગુઆના વિદેશ મંત્રી સાથે કરી મુલાકાત, મેહુલ ચોકસીને પરત લાવવા માંગી મદદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.