બિહારઃ ગોપાલગંજમાં ખાંડ મિલમાં બોઇલર ફાટવાથી 4 મજૂરના મોત, સુગર મિલ માલિકની ધરપકડ
બોઇલર ફાટવાના કારણે દાઝી ગયેલા લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દાઝેલા પૈકી 2 લોકોની હાલત વધારે ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
બોઇલર ફાટવાના કારણે જે લોકો ટેન્ક પાસે કામ કરતા હતા તેમના મોત થયા હોવાનું કહેવામાં આવે છે. પોલીસ અને ટોચના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા છે અને ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. આ ઉપરાંત અંદર ફસાયેલા લોકોને બહાર નીકાળવાનું કામ ચાલુ છે.
મળતી જાણકારી મુજબ, આ દુર્ઘટના બુધવારે રાતે આશરે સવા અગિયાર કલાકે બની ત્યારે શેરડી પિલાણનું કામ ચાલી રહ્યું હતું. બોઇલર ટેન્કમાં જતો પાઇપ ફાટવાના કારણે જોરદાર ધડાકો થયો. ધડાકાના કારણે આસપાસના અનેક મશીનો ક્ષતિગ્રસ્ત થયા.
ગોપાલગંજઃ બિહારના ગોપાલગંજ જિલ્લામાં આવેલી સાસા મુસા ખાંડ મિલની અંદર બુધવારે મોડી રાતે બોઇલર ફાટવાથી મોટી દુર્ઘટના સર્જાઈ હતી જેમાં 4 મજૂરોના મોત થયા છે. જ્યારે 9 મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હોવાનું માનવામાં આવે છે. અત્યારે પણ ઘણા મજૂરો અંદર ફસાયેલા હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સુગર મિલ માલિકની ધરપકડ કરી છે.