અમરનાથ આતંકી હુમલાની મોદી સહિતના નેતાઓ કડક શબ્દોમાં કરી નિંદા, જાણો શું કહ્યું....
વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જણાવ્યું કે, 'અમરનાથ યાત્રીઓ પર થયેલા હુમલાની અમે ટીકા કરી રહ્યા છે, નિર્દોષ લોક પર હુમલો કરવો એ કાયરતાપૂર્ણ પગલું છે'.
અમરનાથ હુમલા બાદ ગુજરાત સહિત દેશભરના નેતાઓ દુખ વ્યક્ત કરતાં ટ્વિટનો દૌર શરૂ થઇ ગયો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી આ હુમલા આકરી નિંદા કરતાં જણાવ્યું હતું કે આવા હુમલાઓથી ડરીને ભારત ઝૂકશે નહી. ગુજરાત સરકારના કાફલાના કાર્યક્રમો હાલમાં રદ કરવામાં આવ્યા છે.
ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ જાડેજાએએ જણાવ્યું હતું કે, અમરનાથા યાત્રા દરમિયાન આતંકવાદી હુમલો થયો છે. આ હુમલોમાં બસ ગુજરાતની હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળતા ગુજરાત સરકાર દ્વારા જમ્મૂ કાશ્મીર સરકાર તથા અમરનાથ ફ્લાયિંગ બોર્ડનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. આતંકવાદી હુમલામાં સાબરકાંઠાના હંસાબેન પટેલ અને વિજય પટેલના મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાને કડક શબ્દોમાં નિંદા કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, આવા કાયરતાભર્યા હુમલાથી ભારત ક્યારેય ઝૂકશે નહીં. નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતાં લખ્યું, જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રાળુઓ પર થયેલા કાયરતાભર્યા હુમલાનો દુ:ખ શબ્દોમાં વર્ણવી ન શકાય. દરેકે આ હુમલાની કડક નિંદા કરવી જોઇએ.
નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓએ ગુજરાતના વલસાડની એક બસને નિશાન બનાવીને પવિત્ર અમરનાથ યાત્રાને રક્તરંજિત કરી છે. આતંકીઓએ અનંતનાગ જિલ્લાના બાંટેગૂમાં એક પોલીસ કારની સાથે ગુજરાતીઓની બસને પણ નિશાન બનાવીને આડેધડ ગોળીબાર કર્યો હતો, જેમાં સાત ગુજરાતીઓના મોત થયા છે. આ હુમલામાં સાત તીર્થયાત્રીઓના મોત થયા છે અને 32ને ઇજા પહોંચી છે.