UP: બટાટાના ઓછા ભાવથી નારાજ ખેડૂતોઓ વિધાનસભા, CM હાઉસ બહાર કર્યા ઢગલા
જોકે અનેક બટાટા વાહનોના ટાયર નીચે દબાઇને ખરાબ થઈ ગયા છે. સરકાર બટાટાના લઘુત્તમ ટેકાના ભાવ વધારે તેવી સરકારની માંગ છે.
વિધાનસભા, મુખ્યમંત્રી નિવાસ સ્થાન નજીક બટાટા ફેંકવામાં આવ્યો હોવાના અહેવાલથી તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ઓફિસરો તેમની ઈજ્જત બચાવવા માટે બટાટા ત્યાંથી કચરાના વાહનોમાં ભરાવી રહ્યા છે.
બટાટાના ઓછા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં નારાજગી છે. તેના વિરોધ સ્વરૂપે ખેડૂતોએ લખનઉની સડકો પર સેંકડો બોરી બટાટા ફેંકી દીધા છે. ખેડૂતોને માર્કેટમાં 4 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળી રહ્યો છે. જ્યારે ખેડૂતો સરકારે પાસેથી 10 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ માંગી રહ્યા છે.
લખનઉઃ ઉત્તરપ્રદેશમાં બટાટા ખેડૂતોનો આક્રોશ વધી રહ્યો છે. પાકના ઓછા ભાવથી અકળાયેલા ખેડૂતોએ અનેક ક્વિન્ટલ બટાટા મુખ્યમંત્રી નિવાસ અને વિધાનસભા સામે ફેંકી દીધા છે. શુક્રવારે રાતથી જ ખેડૂતોઓ સડકો પર બટાકા ફેંકવાનું શરૂ કર્યું હતું.