✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ડ્રગ્સ તસ્કરોને હવે ફાંસીની સજા, પંજાબ સરકારે કેંદ્ર સરકારને મોકલ્યો પ્રસ્તાવ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  03 Jul 2018 07:59 AM (IST)
1

નશાના કારોબારને મુળમાંથી ઉખેડી ફેંકવા માટે તેની સાથે જોડાયેલા લોકોને આકરી સજાની જોગવાઇ કરવી જરૂરી છે. અને ફાંસીની સજા તે આકરી જોગવાઇ છે. અત્રે ઉલ્લેખીય છે કે, કેપ્ટન અમરિંદર સિંહ વિધાનસભા ચૂંટણી દરમિયાન પંજાબના લોકોને ડ્રગ્સ બંધી મુદ્દે વચનો આપી ચુક્યા છે. તેમણે સત્તામાં આવ્યા બાદ પંજાબને નશામુક્ત કરવાનું લોકોને વચન આપ્યું હતું.

2

પંજાબના મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કેન્દ્ર સરકારને તેમણે આ પ્રસ્તાવ મંજુરી માટે મોકલી આપ્યો છે. નશાનો વેપારના કારણે પંજાબની નવી પેઢી બરબાદ થઇ રહી છે. ન માત્ર પંજાબ પરંતુ દેશમાં પણ ડ્રગ્સનો કારોબાર એક મોટી સમસ્યા બનતો જાય છે. ત્યારે તેને અટકાવવા માટે પંજાબ દ્વારા એક કડક પગલા માટેની પહેલ કરવામાં આવી છે.

3

ચંડીગઢ: પંજાબમાં વધી રહેલા નશાના વેપારને અટકાવવા માટે રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. પંજાબ સરકારે નશીલા પદાર્થોની તસ્કરીમાં ફાંસીની સજાનું પ્રાવધાન મુક્યું છે. સોમવારે મળેલી કેબિનેટ બેઠકમાં પંજાબ સરકારે આ નિર્ણય લીધો છે. પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ મહત્વપુર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી અમરિંદર સિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, પંજાબમાં જે પ્રકારે નશાનો વ્યાપાર વધ્યો છે તેને જડમુળમાંથી ઉખેડવા માટે કડકમાં કડક પગલા ભરવા ખુબ જ જરૂરી છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ડ્રગ્સ તસ્કરોને હવે ફાંસીની સજા, પંજાબ સરકારે કેંદ્ર સરકારને મોકલ્યો પ્રસ્તાવ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.