ફિક્સ પગારદારો માટે આનંદના સમાચાર, પંજાબ સરકારે કર્યા કાયમી, હવે ગુજરાતનો વારો?
નોંધનીય છે કે રાજસ્થાન અને ગુજરાતમાં પણ કેટલાક વર્ષોથી ફિક્સ પગારદારો પોતાને કાયમી કરવાની માંગણી કરી રહ્યા છે. આ બંન્ને રાજ્યોમાં ફિક્સ પગારદારોના કેસો કોર્ટમાં પડતર છે. હવે જોવાનું એ રહેશે કે પંજાબ સરકાર બાદ રાજસ્થાન અને ગુજરાત સરકાર શું પગલા ભરે છે.
એક રિપોર્ટ પ્રમાણે, સરકાર રાજ્યપાલની વિશેષ મંજૂરી માટે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવશે. કેટલાક સૂત્રોના કહેવા પ્રમાણે, બાદલ સરકાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતો મેળવવા માટે ફિક્સ પગારદારોને કાયમી કરી રહી છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને મેડિકલ વિભાગમાં કાર્યરત કર્મચારીઓને કાયમી કરવામાં આવશે.
નવી દિલ્લીઃ પંજાબમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત અગાઉ પંજાબ સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. સરકારે ફિક્સ પગારદારોને નવા વર્ષની ગીફ્ટ આપી છે. પંજાબ કેબિનેટે રાજ્યના 27 હજાર ફિક્સ વેતન મેળવતા કર્મચારીઓને નિયમિત કરવાની મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે પંજાબમાં ભાજપ અને અકાલી દળની ગઠબંધન સરકાર છે જેને કારણે ગુજરાતના ફિક્સ પગારદારોમાં આશા જાગી છે.