ઓરિસ્સાના પુરીમાં પણ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ થઈ ચુક્યો છે. પુરીની રથયાત્રા ભારતમાં જ નહીં વિશ્વભરમાં પ્રખ્યાત છે. રથયાત્રા દેશના સૌથી વધારે મહત્વ ધરાવતાં તહેવારમાંથી એક છે. આજની રથયાત્રામાં દેશ-વિદેશમાંથી માનવ મહેરામણ ઉમટ્યું છે. પુરીમાં આજે લાખોની સંખ્યામાં ભક્તો એકત્ર થયા છે. રથયાત્રાનો પર્વ અન્ય તહેવારોની સરખામણીમાં અનન્ય મહત્વ ધરાવે છે. કારણ કે આ એક જ દિવસ એવો છે કે જ્યારે સ્‍વયં જગતના નાથ સામે ચાલીને પોતાના ભક્‍તોને ઉમળકાભેર મળવા નીકળી છે. રથયાત્રા પહેલાં બ્રહ્મમુહુર્તમાં મંદિરમાં મંગળા આરતી પછી ભગવાનને ખીચડીનો મહાભોગ ધરાવવામાં આવે છે.