મોદી ‘રિયર વ્યૂ મિરર' જોઈને દેશ ચલાવી રહ્યા છે, જાણો કોણે કર્યો PM પર આવો પ્રહાર
રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે ચાલુ સપ્તાહે સંસદમાં એક કલાક લાંબા ભાષણમાં પીએમ મોદી કૃષિ સમસ્યા, બેરોજગારી, આદિવાસીઓ અને દલિતો સાથે સંકળાયેલા મુદ્દા પર બોલ્યા નહોતા, પરંતુ તેમના ભૂતકાળ અંગે બોલવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. મોદીજી દેશે તમને ભૂતકાળ અંગે વાત કરવા વડાપ્રધાન નથી બનાવ્યા, પરંતુ દેશ તમારી ભવિષ્યની યોજનાઓ જાણવા માંગે છે.
રાહુલ ગાંધીએ લોકોને વાયદો કર્યો કે રાજ્યમાં ફરી વાર સત્તામાં આવવાનો અવસર મળશે તો આ વર્ષ દરમિયાન કરવામાં આવેલા કામો બમણા કરવામાં આવશે.
નવી દિલ્હીઃ ગત કોંગ્રંસ સરકારની નીતિઓની ટીકા કરનારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર પલટવાર કર્યો હતો. તેમણે કહ્યું કે, ‘તેઓ(મોદી) માત્ર રિયર વ્યૂ મિરર જોઇને ગાડી ચલાવી રહ્યા છે. જેનાથી માત્ર દુર્ઘટના જ થાય છે. આ દેશને રિયર વ્યૂ મિરર જોઇને ચલાવી ન શકાય.’
કોંગ્રેસ અધ્યક્ષે એમ પણ કહ્યું કે, પીએમ મોદી ભ્રષ્ટાચાર અંગે વાત કરે છે પરંતુ કર્ણાટકમાં તેમની પાર્ટીની સરકારે બીએસ યેદિયુરપ્પાના શાસનમાં ભ્રષ્ટાચારનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. તેમને ભ્રષ્ટાચારના આરોપસર સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.