✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રાહુલ ગાંધી ‘પપ્પૂ’ નથી રહ્યા, હવે તે ‘પપ્પા બની ગયા છે, જાણો ક્યા કેન્દ્રીય મંત્રીએ કર્યું આ નિવેદન

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  17 Dec 2018 09:49 AM (IST)
1

કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી અઠાવલેએ કહ્યું કે, હું શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને સેના સુપ્રીમો બાલ ઠાકરેના સપના પૂરા કરવાની અપીલ કરું છું. શિવસેનાએ એકલા ચૂંટણી લડવી ન જોઈએ. તેણે કહ્યું કે, કોંગ્રેસને એવી ધારણા ન રાખવી જોઈએ કે, માત્ર રફાલે સોદાને લઈને તે 2019ની ચૂંટણી જીતી જશે.

2

નવી દિલ્હીઃ ત્રણ હિન્દી ભાષી રાજ્યોમાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસની જીતનાં સંદર્ભમાં કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ સંકેત આપ્યા કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી એક પરિપક્વ નેતા બની ગયા છે. તેણે એ પણ કહ્યું કે, રાજસ્થાન, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં ભાજપની ચૂંટણી હારને પ્રધાનમંત્રી મોદી સાથે કંઈ લેવા દેવા નથી. અઠાવલેની પાર્ટી આરપીઆઈ (એ) એનડીએનો એક ભાગ છે.

3

અઠાવલેએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે, રાહુલ ગાંધીએ ત્રણેય રાજ્યોમાં એક સારી જીત મેળવી છે. તે હવે ‘પપ્પૂ’ નથી રહ્યા પરંતુ ‘પપ્પા’ બની ગયા છે. અઠવાલેએ કહ્યું કે, ચૂંટણીમાં હાર ભાજપની છે ન કે નરેન્દ્ર મોદીની. એક સવાલના જવાબમાં તેણે કહ્યું કે, શિવસેનાએ ભાજપ સાથે પોતાનું જોડાણ જાળવી રાખવું જોઈએ. જો આ જોડાણ જારી નહીં રહે તો શિવસેનાને નુકસાન થશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રાહુલ ગાંધી ‘પપ્પૂ’ નથી રહ્યા, હવે તે ‘પપ્પા બની ગયા છે, જાણો ક્યા કેન્દ્રીય મંત્રીએ કર્યું આ નિવેદન
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.