2019ની ચૂંટણી જીતવા માટે રાહુલ ગાંધીનો માસ્ટર પ્લાન, જાણો 8 ખાસ વાતો
તેમણે દાવો કર્યો કે લોકોનો સરકારથી મોહભંગ થઈ રહ્યો છે અને તેઓ આ બધું જ જાણે છે આ તમામ મોદીની માયા છે- અચ્છે દિન, 15 લાખ રૂપિયા તમારા ખાતમાં આવશે, સ્વચ્છ ભારત. તમે ભૂખે મરી રહ્યા હશો અને તેઓ બોલશે તમારા પેટની ભૂખ તમારી કલ્પના છે.
નોકરીઓ આપવાનો વાયદો કરતા કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું યૂપીએ સરકારમાં ખેડૂતોનું 70,000 કરોડ રૂપિયાની લોન માફ કરવામાં આવી અને આગળ પણ કૉંગ્રેસ ખેડૂતોની આ પ્રકારે મદદ કરવા માટે તૈયાર રહેશે.
કૉંગ્રેસના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ રાહુલ ગાંધીની આગેવાનીમાં પાર્ટીનું આ પ્રથમ અધિવેશન યોજાયું. મહાઅધિવેશના છેલ્લા દિવસે રાહુલ ગાંધીએ સરકારની સાથે પોતાની પાર્ટીના નેતાઓને પણ કડક સંદેશ આપ્યા.
કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચે દિવાલ હોવાની વાત કરતા રાહુલે કહ્યું અધ્યક્ષ તરીકે આ દિવાલને દૂર કરવી તેનું પ્રથમ લક્ષ્ય છે. આયાતી ઉમેદવારો છેલ્લી ઘડીએ પાર્ટીમાં સામેલ થઈ ટિકીટ મેળવે છે અને કાર્યકર્તાઓ ટિકીટથી વંચિત રહે છે જેના કારણે કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચેની દિવાલને દૂર કરવામાં આવશે.
રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં વાયદો કર્યો કે કાર્યકર્તાઓને 2019ની ચૂંટણીમાં વધુ ટિકીટ ફાળવવામાં આવશે.
રાહુલ ગાંધીએ કહ્યું તેઓ આ કામ વરિષ્ઠ નેતાઓ સાથે સ્નેહ અને સમ્માન સાથે કરશે. તેમણે કહ્યું કામ કરતા કાર્યકર્તાઓને કહેવામાં આવે છે કે તેમની પાસે પૈસા નથી, જેના કારણે તેમને ટિકીટ નહી મળે. તેમણે કાર્યકર્તાઓને આશ્વાસન આપ્યું કે તેમને ટિકીટ ફાળવવામાં આવશે. સામાન્ય કાર્યકર્તાઓને ટિકીટ આપવા પર રાહુલ ગાંધીએ ભાર મુખ્યો હતો.
કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીએ કાર્યકર્તાઓને ટિકીટ આપવાનું ઉદાહરણ તેમે જોયું. તેમણે કહ્યું તેનું પરિણામ તમે જાયું મોદીજી સીપ્લેનમાં ઉડતા જોવા મળ્યા. તેમણે કહ્યું જે દિવસે જે દિવસે કૉંગ્રેસના કાર્યકર્તાઓને શક્તિ આપવામાં આવશે સીપ્લેન છોડો પનડુબ્બીમાં જોવા મળશે.
નવી દિલ્લી: દિલ્લીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે કૉંગ્રેસના 84માં મહાઅધિવેશનમાં કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક અંદાજમાં જોવા મળ્યા. આગામી લોકસભાની ચૂંટણીમાં પાર્ટીની આગામી રણનીતિ, યુવાઓને પૂરતી સ્પેસ, કાર્યકર્તાઓ અને નેતાઓ વચ્ચેની દિવાલ દૂર કરવાનો અને આયાતી ઉમેદવારોને તિલાંજલી આપવા સહિત ભાજપને પછડાટ આપવા માટે રાહુલ ગાંધીએ માસ્ટર પ્લાન બનાવ્યો છે. રાહુલ ગાંધીએ ભાજપની તુલના સત્તાના ભુખ્યા કૌરવો સાથે કરી અને કૉંગ્રેસની પાંડવો સાથે સરખામણી કરી અને કહ્યું 2019ની લોકસભા ચૂંટણીમાં કૌરવ-પાંડવ વચ્ચે સંગ્રામ થશે.
રાહુલ ગાંધીએ સંગઠનમાં બદલાવ પર ભાર આપતા કહ્યું પાર્ટીમાં કેટલાક લોકોને આ વાત પસંદ નહી પડે, તેમણે કહ્યું પાર્ટીના કાર્યકર્તાઓમાં દેશને બદલવાની ઉર્જા અને શક્તિ છે. પરંતુ તેમની અને નેતાઓની વચ્ચે એક દિવાલ છે જેને દુર કરવામાં આવશે. પાર્ટીના સંગઠનમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવશે.