રાજ બબ્બરનો યોગી સરકાર પર પ્રહાર, કહ્યું- મનોરોગી યોગી સરકારમાં માનવતાનો નથી દેખાતો કોઈ અંશ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Oct 2017 05:54 PM (IST)
1
રાજ બબ્બરે સરકાર પર આરોપ લાગાવતા કહ્યું કે ભલે તે શિક્ષામિત્ર હોય, બીએચયૂની વિદ્યાર્થીનીઓ હોય કે પછી આંગણવાડી કાર્યકર્તા યોગી સરકારના શાસનમા દરેકને અવાજ ઉઠાવવાના બદલે લાઠી મળી રહી છે. પોલીસકર્મિઓએ આ મહિલા પર અનેક વખત લાઠીચાર્જ કર્યો જે ખૂબજ શરમજનક વાત છે.
2
લખનઉ: કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બરે બુધવારે સિવિલ હોસ્પિટલ જઈને લાઠીચાર્જમાં ઘાયલ આંગણવાડી કાર્યકાર્તાઓ સાથે મુલાકાત કરી હતી. તે દરમિયાન તેમણે યોગી સરકાર આકરા પ્રહાર કર્યા હતા.
3
તેમણે કહ્યું કે યોગી સરકાર મનોરોગી સરકાર બની ગઈ છે. આ સરકારમાં માનવતાનો એક પણ અંશ દેખાતો નથી. તેમણે કહ્યું કે સરકાર પાસે અયોધ્યામાં દિવાળી મનાવવા માટે 137 કરોડ છે પરંતુ આંગણવાડી મહીલા માટે કંઈજ નથી.