ભારતને ત્રીજી આઝાદીની જરૂર, 2019માં થશે 'મોદી મુક્ત ભારત', ક્યાં દિગ્ગજ નેતાએ આપ્યું નિવેદન
મનસે નેતાએ રાજકીય સમ્માન દ્વારા શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવાના નિર્ણય પર રાજ્ય સરકાર પર સવાલો ઉઠાવ્યા. તેમણે કહ્યું શ્રીદેવી એક મહાન અભિનેત્રી હતી પરંતુ તેણે દેશ માટે એવું શું કર્યું કે તેમના શરીરને તિરંગમાં લપેટવામાં આવ્યું? મીડિયાએ સરકારના ઈશારે તેમના અંતિમ સંસ્કારને ખૂબ મોટુ કવરેજ આપ્યું જેથી નીરવ મોદી-પંજાબ નેશનલ બેંકના ગોટાળા પરથી લોકોનું ધ્યાન ભટકાવી શકાય.
રાજ ઠાકેરએ અક્ષય કુમારની ફિલ્મ ટૉયલેટ એક પ્રેમ કથા અને પેડમેન માટે કહ્યું આ સરકારી યોજનાઓના ગુપ્ત પ્રચાર હતા. તેમણે કહ્યું બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર જેમણે આ બંને ફિલ્મોમાં કામ કર્યું છે તેઓ મનોજ કુમારના પગલે ચાલવાની કોશિશ કરી રહ્યા છે. મનોજ કુમારને ભારતના નામથી ઓળખવામાં આવતા હતા. પરંતુ અક્ષય ભારતીય નાગરિક પણ નથી. તેની પાસે કેનેડાનો પાસપોર્ટ છે અને વિકિપીડિયા તેને ભારતમાં જન્મેલા કેનેડિયન એક્ટર તરીકે બતાવે છે.
રામ મંદિરનો મુદ્દો ઉઠાવતા રાજ ઠાકરેએ કહ્યું અયોધ્યામાં રામ મંદિર બનાવવાના પક્ષમાં છુ પરંતુ તેને ચૂંટણીનો મુદ્દો ન બનાવવો જોઈએ. આ મુદ્દો કોર્ટમાં છે અને આવનારા દિવસોમાં સાંપ્રદાયિક દંગા કરાવવા માટે તેના પર ચર્ચા કરાશે. તેનો ઉપયોગ સમાજના બે હિસ્સાઓને અલગ કરી મત મેળવવા માટે ન કરવો જોઈએ. રાજ ઠાકરેએ પીએમ મોદીની વિદેશ યાત્રા પર સવાલ ઉઠાવતા કહ્યું મોદી વિદેશ યાત્રા પકોડા માટે લોટ લાવવા માટે કરે છે તેનાથી કોઈ રોકાણ નથી થયું.
રવિવારે મુંબઈના શિવાજી પાર્કમાં આયોજીત જનસભાને સંબોધિત કરતા રાજ ઠાકરેએ કહ્યું દેશ હવે મોદી સરકારના ખોટા વાયદાઓથી થાકી ગયો છે. રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે મોદી સરકારના જવા બાદ નોટબંધીની તપાસ કરવવામાં આવે તો આ આઝાદી બાદ દેશનો સૌથી મોટો ગોટાળો સાબિત થઈ શકે છે. રાજ ઠાકરેએ દાવો કર્યો છે કે આગામી કેટલાક મહિનાઓમાં દેશમાં દંગા કરાવવામાં આવી શકે છે. જેને લઈને લોકો સાવધાન રહે અને કોઈની વાતોમાં ન આવે.
મુંબઈ: મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના અધ્યક્ષ રાજ ઠાકરોએ કહ્યું 2019માં ભારતને ત્રીજી આઝાદીની જરૂર છે. તેમણે વિપક્ષી એકતાનું આહ્વાન કરતા કહ્યું તમામ વિપક્ષી દળોએ એક થઈ 2019માં આપણે મોદી મુક્ત ભારત બનાવવું જોઈએ. રાજ ઠાકરેએ કહ્યું ભારતને પ્રથમ આઝાદી 1947માં અને બીજી આઝાદી વર્ષ 1977માં ઈમરજન્સિ બાદ અને ત્રીજી આઝાદી 2019માં મળશે.