રાહુલ ગાંધીની ફટકાર બાદ સીપી જોશીએ માંગી માફી, PM મોદી-ઉમા ભારતીની જાતિને લઈને આપ્યું હતું વિવાદિત નિવેદન
જોશીના નિવેદનને લઈને ભાજપ પ્રવક્તા સંબિત પાત્રાએ તેમના પર પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કૉંગ્રેસ નેતાનું આ નિવેદન ચોંકાવનારું છે. સીપી જોશીએ ધર્મ વિશે આવું નિવેદન નહીં આપવું જોઈએ. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે- ઉમા ભારતી કોઈ જાતિની છે? મોદી કોઈ જાતિના છે? માત્ર બ્રાહ્મણ જ હિંદુ ધર્મની વાત કરી શકે છે.
નવી દિલ્હી: વડાપ્રધાન નેરન્દ્ર મોદી અને ઉમા ભારતી વિરુદ્ધ વિવાદિત નિવેદન બાદ સીપી જોશીએ રાહુલ ગાંધીની ફટકાર બાદ માફી માંગી લીધી છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ફટકાર બાદ સીપી જોશીએ કહ્યું કે મારા નિવેદનથી જો કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો તેના માટે હું દિલગીર છું.
જોશીના આ નિવેદનથી થયેલા ડેમેજને કંટ્રોલ કરવા રાહુલ ગાંધીએ તેની ફટકાર લગાવી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સીપી જોશીજીનું નિવેદન કૉંગ્રેસ પાર્ટીના આદર્શોની વિરુદ્ધ છે. પાર્ટીના નેતા એવું કોઈ જ નિવેદન ના આપે જેનાથી સમાજના કોઈ પણ વર્ગને દુખ પહોંચે. કૉંગ્રેસના સિદ્ધાંતો કાર્યકર્તાઓની ભાવનાનું આદર કરતા જોશીજીને ભૂલનો અહેસાસ થશે. તેમણે આ નિવેદન પર દિલગીરી વ્યક્ત કરવી જોઈએ.
પૂર્વ કેન્દ્રીય મંત્રી જોશીએ ટ્વીટ કરી કહ્યું કે, “કૉંગ્રેસના સિદ્ધાંતો અને કાર્યકર્તાઓની ભાવનાઓનું સન્માન કરતા મારા નિવેદનથી સમાજના કોઈ વર્ગની લાગણી દુભાઈ હોયો તો હું દિલગીરી વ્યક્ત કરું છું. ઉલ્લેખનીય છે કે સીપી જોશીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય મંત્રી ઉમા ભારતીની જાતિ અને ધર્મને લઈને નિશાન સાધ્યું હતું.