રાજસ્થાનમાં અન્નપૂર્ણા રસોઈ યોજના થઈ હિટ, જાણો કેટલા રૂપિયામાં લોકોને પીરસે છે જમવાનું
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Feb 2017 11:01 AM (IST)

1
સરકાર 80 વેન દ્વારા નગર નિગમ અને સરકારી ખાતાઓએ નક્કી કરેલા સ્થળો પર ત્રણ ટાઈમનું ભોજન ઓછા દરે આપે છે.
2
રાજસ્થાનમાં થોડા સમય પહેલા જ લૉંચ થયેલી અન્નપૂર્ણા રસોઈ યોજનાને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. સાવ ઓછી કિંમતે મળી રહેલા સારા ભોજનને લોકો પસંદ કરી રહ્યા છે.
3
આ સ્કીમમાં રાજસ્થાનના કારીગરોને, વિદ્યાર્થીઓને, રીક્ષા ચાલકો અને ફેરિયાઓને તેમજ મહિલા કારીગરોને સીધો લાભ મળે છે.
4
સરકારે આ યોજનામાં વધુ એક મહત્વનો નિર્ણય લીધો છે જેમાં અન્નપૂર્ણા રસોઈ યોજના અંતર્ગત પાંચ રૂપિયામાં નાસ્તો અને 8 રૂપિયામાં બપોરનું જમવાનું લોકોને મળી રહેશે.