હવે મેટ્રો જેવી થઈ જશે રાજધાની અને શતાબ્દી ટ્રેન, લાગશે ઓટોમેટિક દરવાજા
સાથે જ એવા કિસ્સા પણ સામે આવ્યા છે જ્યારે લોકો સ્ટન્ટ બતાવતા હોય ત્યારે જીમ ગુમાવ્યો હોય. ઓટોમેટિક દરવાજા લાગવાથી રેલવેને દરેક કોચદીઠ 20 લાખ રૂપિયાનો ખર્ચ આવશે. અધિકારી અનુસાર, જ્યાં સુધી દરવાજા બંધ નહીં થાય ટ્રેન આગળ નહીં વધે. ગાર્ડ કેબિનમાં સિસ્ટમ કમાન્ડ કન્ટ્રોલ કરશે. બાદમાં ડ્રાઈવર્સને પણ કન્ટ્રોલ આપવામાં આવશે. નવી સિસ્ટમમાં દરવાજા માત્ર પ્લેટફોર્મ તરફ જ ખુલશે અને બીજી બાજુ બંધ રહેશે. તેનાથી અનઅધિકૃત પ્રવેશ પણ નહીં થઈ શકે.
આ સિસ્ટમ અંતર્ગત ટ્રેન જ્યારે સ્ટેશન પર પહોંચશે ત્યારે તેનો દરવાજો આપોઆપ ખુલી જશે અને ટ્રેન રવાના થયા પહેલા જ આપોઆપ બંધ પણ થઈ જશે. હાલમાં ટ્રેનના દરવાજા લોકો દ્વારા ખોલવા અને બંધ કરવામાં આવે છે. રેલવે મંત્રાલયના એક ઉચ્ચ અધિકારીએ કહ્યું કે, એક પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત ચાલુ વ્રષે એપ્રિલ સુધી બે રાજધાની અને બે શતાબ્દી ટ્રેનમાં આ સિસ્ટમ શરૂ થઈ જશે જેના દરવાજા ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ સાથે સજ્જ હશે.
બાદમાં દેશમાં અન્ય ટ્રેનમાં પણ આ પ્રકારના દરવાજા લગાવવામાં આવશે. અધિકારીએ જણાવ્યું કે, ઘણી વખત પ્રવાસી કોચમાં ચઢતા સમયે ચાલતી ટ્રેનમાંથી પડી જતા હોય છે અથવા લપસી જતા હોય છે. અનેક વખત પ્રવાસી વીજળીના થાંભલા સાથે પણ અથડાય છે.
નવી દિલ્હીઃ પ્રવાસ દરમિયાન પ્રવાસીઓની સુરક્ષા વધારવા અને આપરાધિક ગતિવિધીઓ પર અંકુશ લાવવા માટે રાજધાની અને શતાબ્દી જેવી ટ્રેનના દરવાજામાં ટૂંકમાં ઓટોમેટિક લોકિંગ સિસ્ટમ લાગી જશે. આ નવી સિસ્ટમને ટ્રેનનો ગાર્ડ પોતાની કેબિનમાં બેઠીને નિયંત્રિત કરશે.