તમિલનાડૂમાં નેતૃત્વની અછત દૂર કરી MGR જેવુ શાસન આપવાનો રજનીકાંતનો વાયદો
રાજનીતિમાં એક અભિનેતાના આવવના નિર્ણય પર સવાલો કરવા પર વિપક્ષના નેતાઓને પણ આડે હાથ લીધા હતા. તેમણે કહ્યું કે ‘હાલની સરકાર અને નેતાઓ પૂછી રહ્યા છે કે અભિનેતા મેકઅપ છોડીને રાજનીતિમાં કેમ આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘હું 67 વર્ષનો થઈ ગયો છું અને કારણ કે તમે તમારું કામ સરખી રીતે નથી કર્યું એટલા માટે હું આવી રહ્યો છું.
રજનીકાંતે કહ્યું મને ખબર છે કે રાજનીતિક સફર સરળ નથી પરંતુ જે શાસન એમજીઆરે સામાન્ય જનતાને આપ્યું છે તે હું આપી શકું છું. મને વિશ્વાસ છે કે હું આ કરી શકું છું. સાથે જ તેમણે લોકોને મજબૂત નેતૃત્વનો વિશ્વાસ અપાવતા કહ્યું કે, જયલલિતા નહીં રહ્યા અને કરુણાનિધિ બીમાર રહે છે. તમિલનાડુને નેતાની જરૂર છે. હું આવીને તે ખાલીજગ્યા ભરીશ. ભગવાન મારી સાથે છે.”
નવી દિલ્લી: દક્ષિણ ભારતીય ફિલ્મોના સુપરસ્ટાર રજનીકાંતે સોમવારે ચેન્નઈ સ્થિત એક કોલેજમાં વિદ્યાર્થીઓને સંબોધન કર્યું હતું. રજનીકાંતે કહ્યું તેઓ સારી રીતે સરકાર ચલાવી શકે છે. સુપરસ્ટાર રજનીકાંતે લોકોને વાયદો કર્યો છે કે તે રાજ્યમાં નેતૃત્વની અછતને દૂર કરશે અને એમજીઆર જેવું શાસન આપશે. તેમણે કહ્યું જયલલિતા નથી રહ્યા, કરૂણાનિધિ બિમાર છે. તેમણે એમજીઆરનુ નામ લેતા કહ્યું તેઓ તેમની જેમ રાજ્યની સેવા કરી શકે છે. તેમણે કહ્યું એમજીઆર જેવા લોકો હજારો વર્ષોમાં એક વખત જન્મે છે.