✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

રામ મંદિર મુદ્દે મોદીના નિવેદનથી સંતુષ્ટ નથી VHP, કહ્યું- સરકાર રામ મંદિર માટે કાયદો બનાવે

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Jan 2019 02:21 PM (IST)
1

આ સંજોગોમાં વિહિપનો નિર્ણય છે કે, હિન્દુ સમાજ વર્ષો સુધી કોર્ટના નિર્ણયની રાહ ન જોઈ શકે. અમે ઈચ્છીએ છીએ કે સરકાર અધ્યાદેશ લાવીને ભવ્ય મંદિરનું નિર્માણ કરે. આ કેસમાં આગળની વાતચીત પ્રયાગરાજમાં ધર્મ સંસદમાં થશે. ત્યાં સંત નક્કી કરશે કે આપણે આગળ શું કરવું.

2

નવી દિલ્હીઃ રામ મંદિર મુદ્દે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મનની વાત સામે આવ્યા બાદ વિશ્વ હિન્દૂ પરિષદ (વીએચપી)નું નિવેદન પણ સામે આવ્યું છે. વીએચપીએ પીએમ મોદીની વાત સાથે સહમતી ન દર્શાવતા કહ્યું કે, સરકારે કોર્ટની કાર્યવાહી પૂરી થાય તે પહેલા જ કાયદો બનાવીને મંદિર બનાવવું જોઈએ. બુધવારે વીએચપીના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે, કોર્ટની રાહ જોવી ઘણું લાંબુ થઈ જસે અને હિન્દૂ અનંત કાળ સુધી આ રીતે ન રહી શકે.

3

વિહિપના કાર્યકારી અધ્યક્ષ આલોક કુમારે જણાવ્યું કે, અમે રામ જન્મભૂમિ વિશે વડાપ્રધાનનું નિવેદન જોયું. આ વિવાદ 69 વર્ષથી ચાલી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસ તેમની પ્રાથમિકતામાં નથી. હવે 4 જાન્યુઆરીએ કોર્ટ આ વિશે સુનાવણી કરવાની છે. પરંતુ જે બેન્ચ આ કેસની સુનાવણી કરવાની છે તે બેન્ચનું હજી ગઠન કરવામાં આવ્યું નથી અને તેમાં વર્ષો પસાર થઈ જશે.

  • હોમ
  • India-news
  • દેશ
  • રામ મંદિર મુદ્દે મોદીના નિવેદનથી સંતુષ્ટ નથી VHP, કહ્યું- સરકાર રામ મંદિર માટે કાયદો બનાવે
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.