રામ રહિમ કેસ: પંજાબ-હરિયાણામાં ખાલી કરાવ્યા 200 આશ્રમ, હિંસાની તપાસ SITને સોંપી
સરકારની લાપરવાહીની તપાસ માટે હાઈકોર્ટના તમામ FIRની તપાસ એસઆઈટી પાસે કરવાનો આદેશ આપ્યો છે. ત્યાં હોઈકોર્ટમાં એમેક્સ ક્યૂરી અને કેટલાક વકીલોએ હ્યૂમન રાઈટ્સનો મુદ્દો પણ ઉઠાવ્યો અને કહ્યું કે, તોફાન કરી રહેલા લોકોના માથા, છાતી અને ચહેરા પર ગોળી મારવામાં આવી છે જ્યારે દંગો કરી રહેલા લોકોને રોકવા માટે તેના પગને નિશાન બનાવી શકતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાઈ કોર્ટે પંજાબ-હરિયાણાં તરફથી આપવામાં આવેલી વળતરની દાવેદારી પર પણ સુનાવણી કરી અને તેના દાવાની વિસ્તૃત જાણકારી સાથે હાઈકોર્ટ પાસે જમા કરવા કહ્યું છે. હાઈકોર્ટે હરિયાણા પોલીસને પણ પૂછ્યું કે, જો ભવિષ્યમાં આ રીતે ભીડ આવી જાય તો પાલીસ શું પગલા લઈ શકે છે. હાઈકોર્ટ સ્પષ્ટ કરી દીધુ છે કે, ડેરા સચ્ચા સૌદાની કોઈ પણ પ્રોપર્ટીનો સમાવેશ કરવામાં નથી આવ્યો. માત્ર સંપતિની જાણકારી માંગી છે. હાઈકોર્ટે આ પણ સ્પષ્ટ કર્યું કે, હાઈકોર્ટ તરફથી કોઈપણ સુનવાઈ વખતે વડાપ્રધાનને લઈને કોઈ પણ પ્રકારની ટિપ્પણી કરી નથી.
ચંદીગઢ: ડેરા પ્રમુખ રહિમ પર નિર્ણય બાદ ભડકેલી હિંસા પર હાઈકોર્ટે કડક વલણ અપનાવ્યું છે. પંજાબ સરકારે કોર્ટમાં જાણકારી આપી કે તેમણે હાલ સુધીમાં 85 આશ્રમ ખાલી કરાવી દીધા છે. ત્યાં હરિયાણા સરકારને જાણકારી આપી કે તેમણે 103 નામ ચર્ચાઘર પણ ખાલી કરાવ્યા છે. અને તે નામ ચર્ચાઘર પર પોલીસની દેખરેખમાં છે. હાઈકોર્ટે સરકારના અધિકારીઓની લાપરવાહી પર પણ સરકાર પર સવાલ ઉઠાવ્યા છે. કોર્ટે હરિયાણા સરકાર પાસે જવાબ માંગતા કહ્યું કે, હિસાં ભડકાવવામાં અધિકારિઓનો કેટલો અને શું રોલ હતો તેની જાણકારી કોર્ટને આપે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -