400 વર્ષ સુધી જીવી શકો છો તમે, યોગ ગુરુ રામદેવે બતાવી ફોર્મ્યૂલા
તેમણે જણાવ્યું કે, એક વ્યક્તિએ સ્વસ્થ રહેવા માટે કેવા પ્રકારની દિનચર્યા અને ખાનપાની આદકોને નિયંત્રિત રાખી શકે છે. તેમણે દાવો કર્યો કે ભાજપ અધ્યક્ષ અમિત શાહે આમ કરીને પોતાનું વજન 38 કિલોગ્રામ ઓછું કર્યું છે.
તેમણે 12માં નેશનલ ક્વોલિટી કોન્ક્લેવમાં કહ્યું, માનવ શરીર એ રીતે બનેલું છે કે તે 400 વર્ષ ચાલે પરંતુ આપણે વધારે બોજન અને જીવનશૈલીથી આપણા શરીર પર અત્યાચાર કરીએ છીએ. આપણે હાઈ બ્લડપ્રેશર, હૃદયની બીમારીઓ અને અન્ય બીમારીઓને નિમંત્રણ આપીએ છીએ. આ જીવનને ઓછું કરી દે ચે અને બાકીના દિવસોમાં હોસ્પિટલ અને દવાઓ પર આધારિત બનાવી દે છે.
યોગ ગુરુ રામદેવે કહ્યું કે, માનવ શરીર એ રીતે બનેલું છે કે 400 વર્ષ સુધી ચાલે, પરંતુ ખરાબ જીવનશૈલીને કારણે આ બીમાર પડે છે, જેના કારણે ઝડપથી અંત આવે છે. રામદેવે લોકોને કહ્યું કે તે સ્વસ્થ ભોજન અને વ્યાયામ અપનાવીને ખુદને બીમારીઓ અને દવાથી મુક્ત કરે.
નવી દિલ્હીઃ આજની વ્યસ્ત દિનચર્યામાં વ્યક્તિ ઝડપથી બીમારીઓનો ભોગ બની જાય છે. નાના નાના બાળકોમાં ડાયાબિટીસ અને કેન્સર જેવી બીમારીઓ સાંભળવા મળે છે. એવામાં યોગગુરુ રામદેવે જણાવ્યું કે, કેવી રીતે એક લાંબું અને સ્વસ્થ જીવન જીવા શકાય છે.