‘નોટબંધીથી વેશ્યાવૃત્તિ ઘટી કેમ કે દલાલોને આપવા 500-1000ની નોટો નથી’, ભાજપના ક્યા ટોચને પ્રધાને કર્યો દાવો?
ભોપાલ: નરેન્દ્ર મોદી સરકારની નોટબંધીને બુધવાર (8 નવેમ્બર)એ એક વર્ષ પૂરું થઈ ગયું છે. ગયા વર્ષે 8 નવેમ્બરે નરેન્દ્ર મોદીએ 500 અને 1000ની નોટોને ચલણની બહાર કરવાની જાહેરાત કરી હતી. નોટબંધીનું એક વર્ષ પૂરું થતાં કોંગ્રેસ સમગ્ર દેશમાં બ્લેક-ડે મનાવી રહી છે જ્યારે બીજેપીએ એન્ટી બ્લેક મની-ડે ઉજવવાની જાહેરાત કરી છે.
તેમણે કહ્યું હતું કે, નોટબંધી બાદ 99 ટકા પૈસા બેંકોમાં પાછા આવી ગયા છે જે સફેદ નથી થયા તેની તપાસ ચાલી રહી છે. તેમણે વિસ્તારથી નોટબંધીના ફાયદા અને ઉપલબ્ધી ગણાવી હતી.
વધુમાં તેમણે કહ્યું હતું કે, નોટબંધીથી દેહ વ્યાપારના વચેટીયાઓને 500 અને 1000ની નોટ અપાતી હતી તે હવે સંભવ નથી. જેના કારણે તેમને હવે દલાલોને રોકડમાં ચુકવણા થતાં નથી.
કેન્દ્રીય માહિતી પ્રસારણ અને કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે દાવો કર્યો છે કે, ગયા વર્ષે નરેન્દ્ર મોદી દ્વારા નોટબંધી લાગુ કરવામાં આવ્યા બાદ સમગ્ર દેશમાં દેહ વ્યાપાર અન વેશ્યાવૃતિમાં ઘટાડો થયો છે. જોકે તેમણે પોતાના આ દાવાના સમર્થનમાં કોઇ આંકડા આપ્યા ન હતા પરંતુ એટલું જરૂર કહ્યું હતું કે, હવે દલાલોને રોકડમાં ચુકવણા થતાં નથી.
તેમણે કહ્યું હતું કે, નોટબંધીથી જમ્મુ-કાશ્મીરમાં પથ્થરબાજી બંધ થઈ ગઇ છે કારણ કે પૈસા લઇને પથ્થરો ફેંકવામાં આવતા હતા. નક્સલવાદ ઉપર અંકુશ આવી ગયો છે.
ત્યારે ભાજપના કેન્દ્રીય માહિતી પ્રસારણ અને કાનૂન મંત્રી રવિશંકર પ્રસાદે નોટબંધીને એક વર્ષ પૂર્ણ થયા પર નિવેદન આપ્યું હતું. જેમાં કહ્યું હતું કે વડાપ્રધાન મોદી દ્વારા નોટબંધી લાગુ કરવામાં આવ્યા બાદ દેશમાં દેહ વ્યાપાર-વેશ્યાવૃતિમાં ઘટાડો થયો છે.
નોટબંધીનું એક વર્ષ પૂરું થવાના પ્રસંગે તેના ફાયદા ગણાવવા અહીં આવેલા કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, જ્યારથી નોટબંધી લાગુ કરવામાં આવી છે ત્યારથી કાશ્મીરમાં પથ્થરમારાની ઘટના, નક્સલી હુમલાની સાથે-સાથે વેશ્યાવૃતિ માટે મહિલાઓની તસ્કરી ઘટી છે.