500 અને 2000ની નવી નોટને મે-જુનમાં જ મળી હતી મંજૂરી, તો ઉર્જીત પટેલની સહઈ કેવી રીતે આવી? જાણો ચોંકવનારો ખુલાસો
એનડીટીવી દ્વારા ફાઇલ કરવામાં આવેલ આરટીઆઇની અરજીના સંદર્ભમાં રિઝર્વ બેંકે આ જવાબ પાઠવ્યો છે. અત્રે એ નોંધનીય છે કે સરકારે નવી પ૦૦ અને ર૦૦૦ની નોટ ૧૦ નવેમ્બર ર૦૧૬ના રોજ જારી કરી હતી. આ બંને નોટની ડિઝાઇન સરકારે ૧૯મી મેના રોજ મંજુર કરી હતી. રિઝર્વ બેંકે વધુ વિગત આપવાનો ઇન્કાર કર્યો છે. અત્રે એ નોંધનીય છે કે ભ્રષ્ટાચાર અને કાળા નાણાને નાથવા સરકારે જેનુ ૮૬ ટકા સર્કયુલેશન હતુ તે પ૦૦ અને ૧૦૦૦ની નોટ ચલણમાંથી પાછી ખેંચી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆરટીઆઇના જવાબમાં રિઝર્વ બેંકે કહ્યુ છે કે, સેન્ટ્રલ બોર્ડે ર૦૦૦ની નવી નોટ છાપવાની સ્વીકૃતી ૧૯મી મે ર૦૧૬ના રોજ આપી હતી. જયારે ર૦૦૦ રૂપિયાની નોટ છાપવાની સહમતી બની ત્યારે રઘુરામ રાજન રિઝર્વ બેંકના ગવર્નર હતા ત્યારે સવાલ એ થાય છે કે પ૦૦ અને ર૦૦૦ની નવી નોટ ઉપર વર્તમાન ગવર્નર ઉર્જીત પટેલની સહી આવી કઇ રીતે?
પ૦૦ અને ૧૦૦૦ની નોટ ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો તેના પાંચ મહિના અગાઉ નવી નોટની ડિઝાઇન તૈયાર થઇ ગઇ હતી. આરટીઆઇના જવાબમાં એવો ખુલાસો થયો છે કે રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જીત પટેલે ચાર્જ લીધા પહેલા રર ઓગષ્ટે નવી નોટની ડિઝાઇન ઉપર સહીઓ કરી હતી.
નવી દિલ્હીઃ રિઝર્વ બેંકના કેન્દ્રીય બોર્ડે 500 અને 2000 રૂપિયાની નવી નોટની ડિઝાઈનને 19 મે, 2016ના રોજ જ પોતાની બેઠકમાં મંજૂરી આપી દીધી હતી. એક આરટીઆઈના જવાબમાં આ ખુલાસો થયો છે. આ નવી નોટને સરકારે 7 જુન 2016ના રોજ મંજૂરી આપી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -