રામમંદિર પર સુપ્રીમ કોર્ટનો નિર્ણય મંજૂર છે: મોહન ભાગવત
સૂત્રો અનુસાર, કાર્યક્રમ દરમિયાન મોહન ભાગવતે આ પણ કહ્યું કે, વડાપ્રદાન નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો સારા છે. તેઓ પીએમ મોદી સાથે અનેક બાબતો પર તેમની ચર્ચા પણ થાય છે. ભાગવતે આ પણ કહ્યું કે, સંઘ ઈંટરનેટ પર ટ્રોલિંગનું સમર્થન નથી કરતું અને દબાવ વગર દેશની એકતા માટે કામ કરે છે.
નવી દિલ્લી: રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (આરએસએસ) પ્રમુખ મોહન ભાગવતે અયોધ્યા મામલે કહ્યું કે, તેને સુપ્રીમ કોર્ટનો નિર્ણય સ્વીકાર્ય છે. ભાગવતે મંગળવારે 50 દેશોના રાજદૂતો અને રાજનયિકો સાથે મુલાકાત કરી હતી.
આ કાર્યક્રમાં એક સવાલના જવાબ આપતા તેમણે કહ્યું કે, તેમનું સંગઠન ભાજપને નિયંત્રિત નથી કરતું અને ના તો ભાજપ તેના સંગઠનને નિયંત્રિત કરે છે. અમે સ્વતંત્ર રહીને એક સ્વયંસેવક તરીકે તેનો સંપર્ક કરીએ છે અને વિચારોનું આદાન પ્રધાન કરીએ છે.
એક સમાચારપત્ર પ્રમાણે, ભાગવતને જ્યારે આ કાર્યક્રમમાં સવાલ પૂછવામાં આવ્યો કે, લોકસભા ચૂંટણીમાં રામ મંદિર મામલાનો ઉકેલ આવશે? ત્યારે તેના જવાબમાં ભાગવતે કહ્યું કે, આ મામલો હાલમાં સુપ્રીમ કોર્ટમાં છે અને સુપ્રીમ કોર્ટ આ મામલે જે પણ ચુકાદો આપે તેમને તે સ્વીકાર્ય રહેશે