✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સાંઈ બાબાનો ‘સબ કા માલિક એક’ સંદેશો બદલીને તેના સ્થાને ટ્રસ્ટીઓએ કયો મેસેજ પ્રચલિત કર્યો? બાબાની બેઠકનું નામ બદલીને પણ શું કરાયું?

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  25 Nov 2018 11:01 AM (IST)
સાંઈ બાબાનો ‘સબ કા માલિક એક’ સંદેશો બદલીને તેના સ્થાને ટ્રસ્ટીઓએ કયો મેસેજ પ્રચલિત કર્યો? બાબાની બેઠકનું નામ બદલીને પણ શું કરાયું?
1

સાંઇબાબા સમાધિના શતાબ્દિ વર્ષ એટલે કે આ વર્ષે સાંઈ મંદિરમાં સ્થાપિત ધ્વજ-સ્તંભ પર પણ માત્ર ૐનું પ્રતીક બનેલું છે. ભક્તોનું કહેવું છે કે, તેના પર સાથે અન્ય ધર્મોનાં પ્રતીકો પણ બનાવી શકાયાં હોત. અહીં સાઇનબોર્ડ ભગવા કલરનું કરાયું છે. પહેલાં તે કાળા અને લીલા રંગના હતાં.

2

સાંઈ સંસ્થાનના બધાં પ્રકાશનો અને સાંઇબાબાની તસવીરોમાં હંમેશા ‘સબ કા માલિક એક’નો સંદેશ રહેતો હતો. પરંતુ 2013 પછી ‘ૐ સાંઈનાથાય નમ:’ તેની જગ્યા લઈ લીધી હતી. સાંઈ સંસ્થાનની ડાયરી અને સાંઈસચ્ચરિત્રમાં પણ છેલ્લાં 4 વર્ષથી એ જ પ્રકાશિત થઈ રહ્યું છે.

3

સાંઈબાબા સમાધિના શતાબ્દી સમારંભમાં તાજેતરમાં જ સ્થાપિત કરાયેલા સાંઈ ધ્વજ-સ્તંભ પર પણ ઓમનું પ્રતીક બનાવવામાં આવ્યું છે. લોકોનું કહેવું છે કે, સાંઈબાબાના સર્વધર્મ સમભાવ મુજબ સ્તંભ પર સર્વધર્મનું પ્રતીક હોવું જોઈતું હતું. સાંઈ સંસ્થાન શિરડીના ભૂતપૂર્વ વહીવટી અધિકારી સુભાષ જગતાપ તેને સાંઈ સિદ્ધાંતોને છોડી દેવા સમાન ગણાવે છે. તેઓ કહે છે, સાંઈબાબ કહેતા હતા કે, રામ-રહિમ એક છે, હિન્દુ-મુસ્લિમ એકતા હશે તો જ પરમાર્થ સાધી શકાશે.

4

હવે સાંઈ સંસ્થાનના બધાં પ્રકાશનો અને સાંઈબાબાના ફોટા પર હંમેશા જોવા મળતો ‘સબ કા માલિક એક’ સંદેશ જોવા મળતો નથી. તેની જગ્યા ‘ૐ શ્રી સાંઈનાથાય નમ:’એ લઈ લીધી છે. આ સાથે જ સાંઈબાબા શિરડીમાં જ્યાં 60 વર્ષ સુધી રહ્યા હતાં તે જગ્યાનો ઉલ્લેખ દ્વારકામાઈ મસ્જિદના રૂપમાં થતો હતો. હવે મસ્જિદના સાઈનબોર્ડ પર ‘દ્વારકામાઈ મંદિર’ લખી દેવાયું છે. આ સાથે જ મંદિર પરિસરમાં દિશા બતાવનારાં બોર્ડ અને મહત્વપૂર્ણ જગ્યાઓના અનેક સાઈનબોર્ડ પણ ભગવા રંગમાં રંગાઈ ગયા છે.

5

2016માં શિરડી સંસ્થાનમાં ભાજપ સાથે સંકળાયેલા કેટલાંક લોકોની ટ્રસ્ટીઓ તરીકે નિમણૂંક કરાયા બાદ સાંઈમંદિરના ભગવાકરણને ગતિ મળી હતી અને ‘ૐ શ્રી સાંઈનાથાય નમ:’ના પ્રસારનો પ્રયાસ શરૂ થયો હતો. આ પ્રયાસ પહેલાંથી ચાલતો હતો પરંતુ છેલ્લાં સાડા ચાર વર્ષમાં તેમાં ઘણી ગતિ આવી છે.

6

શિરડી: અંદાજે 150 વર્ષ પહેલાં દુનિયાને સાંઈબાબાએ ‘સબ કા માલિક એક’નો સંદેશ આપ્યો હતો. આજે દુનિયાભરમાં હજારો સાંઈ મંદિરોના માધ્યમથી કરોડો સાંઈભક્તો આ સંદેશને દુનિયામાં પહોંચાડવાનું કામ કરી રહ્યા છે, પરંતુ સાંઈબાબાની કર્મભૂમિ અને તેમના સમાધિ સ્થળ શિરડીમાં છેલ્લાં સાડા ચાર વર્ષમાં ઘણું બધું બદલાઈ ગયું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • સાંઈ બાબાનો ‘સબ કા માલિક એક’ સંદેશો બદલીને તેના સ્થાને ટ્રસ્ટીઓએ કયો મેસેજ પ્રચલિત કર્યો? બાબાની બેઠકનું નામ બદલીને પણ શું કરાયું?
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.