✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

નવજોત સિંહ સિદ્ધુની વધી શકે છે મુશ્કેલી, 30 વર્ષ જૂનો કેસ ફરી ખુલશે, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  13 Sep 2018 09:26 AM (IST)
1

27 ડિસેમ્બર, 1988ના રોજ પટિયાલામાં સડક પર 65 વર્ષીય ગુરનામ સિંહ સાથે વિવાદ બાદ સિદ્ધુએ તેને મુક્કો માર્યો હતો. જેના કારણે તેનું મોત થયું હતું. મૃતકના પરિવારજનોએ ગત સુનાવણી દરમિયના સિદ્ધુ દ્વારા 2012માં એક ચેનલને આપેલા ઈન્ટરવ્યૂને પુરાવા તરીકે રજૂ કર્યો હતો. જેમાં સિદ્ધુએ સ્વીકાર્યું હતું કે ગુરનામ સિંહને મારવાના કારણે જ તેનું મોત થયું હતું.

2

નવી દિલ્હીઃ પંજાબ સરકારમાં મંત્રી નવજોત સિંહ સિદ્ધુને 30 વર્ષ જૂના રોડ રેજ મામલામાં મોટો ફટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટ સિદ્ધુને સંભળાવવામાં આવેલી સજા પર ફરીથી વિચાર કરવા સહમત થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે સિદ્ધુને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે.

3

સુપ્રીમ કોર્ટે 15 મેના રોજ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટે આપેલા આદેશને રદ કરી દીધો હતો. જેમાં તેને ઈરાદાપૂર્વકની હત્યામાં દોષી ઠેરવવામાં આવ્યો હતો અને ત્રણ વર્ષ જેલની સજા સંભળાવી હતી. કોર્ટે તેના પર આઈપીસી કલમ 323 અંતર્ગત એક હજાર રૂપિયા દંડ લગાવ્યો હતો.

4

જજ એ એમ ખાનવિલકર અને જજ સંજય કિશન કૌલની બેંચ મૃતકના પરિવારજનો દ્વારા દાખલ કરવામાં આવેલી પુનર્વિચાર અરજી પર ફરી સુનાવણી માટે સહમત થઈ ગઈ અને મામલામાં સિદ્ધુને નોટિસ જાહેર કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • નવજોત સિંહ સિદ્ધુની વધી શકે છે મુશ્કેલી, 30 વર્ષ જૂનો કેસ ફરી ખુલશે, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.