નોટબંધી: 500-1000ની નોટો અંગે સુપ્રીમે આપ્યો શું મહત્વનો ચુકાદો, જાણો શું છે નિર્ણય
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Dec 2016 04:06 PM (IST)
1
સુપ્રીમ કોર્ટે સરકારને કહ્યું છે કે તેણે નક્કી કરેલી મહત્તમ 24,000 રૂપિયાના વિથડ્રોઅલની મર્યાદાને અનુસરીને લોકોને એટલી રકમ મળે જ તેવી વ્યવસ્થા કરે.
2
નવી દિલ્લી: સુપ્રીમ કોર્ટે ગુરૂવારે 500-1000ની જૂની નોટો વાપરવાની સમય મર્યાદા વધારવાની મનાઈ ફરમાવી છે. સરકારી હોસ્પિટલો, રેલવે ટિકીટ વગેરે પર 500-1000ની જૂની નોટો નહિ ચાલી શકે.
3
આઠ નવેમ્બરે નોટબંધીના નિર્ણયને પડકારતી અરજીને પાંચ જજોની બેંચે આ ફેંસલો આપ્યો છે.
4
ઉલ્લેખનીય છે કે 500-1000ની જૂની ચલણી નોટો લોકો પોતાના બેંક અકાઉંટમાં 30 ડિસેમ્બર સુધીમાં જમા કરાવી શકે છે.
5
જિલ્લા કો-ઓપરેટીવ બેંકોમાં 11થી14 નવેમ્બરની વચ્ચે જમા થયેલા 8000 કરોડ રૂપિયા એક્સચેંજ કરાવવાની અટર્ની જનરલની બાંયધરીને સુપ્રીમે માન્ય રાખી છે.