મંદી પર શત્રુઘ્ન સિન્હાનું મોટું નિવેદન, કહ્યું- PM મોદી લોકોને જવાબ આપે
યશવંત સિન્હાએ એક અંગ્રેજી અખબારના લેખમાં સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાધ્યું હતું. સિન્હાએ નાણામંત્રી અરૂણ જેટલી પર ટોણો મારતા લખ્યું કે, મોદીએ તો ગરીબી નજીકથી જોઈ છે પરંતુ લાગે છે કે જેટલી આખા દેશને ખુબજ નજીકથી ગરીબી બતાવી રહ્યા છે.
તેમણે ટ્વિટ કર્યું છે કે, “હવે ઘણું થયું.. આ એકદમ સાચો સમય છે. પ્રધાનમંત્રી જનતા અને પ્રેસની સામે આવે અને સવાલોના જવાબ આપે. વડાપ્રધાન આ જણાવી દે કે તે મધ્ય વર્ગ, વ્યાપારી અને નાના કારોબારીઓનું ધ્યાન રાખે છે. વાત નીકળી છે તો દૂર સુધી જશે.”
જણાવી દઈએ કે, દેશની ઘટતી અર્થ વ્યવસ્થા અને મંદીને લઈને વિવાદો ચાલી રહ્યા છે. પૂર્વ નાણામંત્રી યશવંત સિન્હાએ અરૂણ જેટલી પર દેશની અર્થ વ્યવસ્થાને નષ્ટ કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યાં નાણામંત્રી જેટલી યશવંત સિન્હાના કાર્યકાળમાં થયેલી ખામીઓ ગણાવી રહ્યા છે.
નવી દિલ્લી: ઘટતી જીડીપી અને મંદીને લઈને સરકાર પર થઈ રહેલા પ્રહારો વચ્ચે હવે શત્રુઘ્ન સિન્હાએ પણ વડાપ્રદાન મોદી પર નિશાન સાધ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ કહ્યું કે, પ્રધાનમંત્રીએ સામે આવી અને સવાલોના જવાબ આપવું જોઈએ.