નોટબંધી બાદ સાઈબાબા મંદિરમાં 50 દિવસમાં આવ્યું કરોડોનું દાન, જાણો
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Dec 2016 01:08 PM (IST)
1
રૂપિયા ૧.૪૬ કરોડ ઓનલાઇન જમા થયા હતા અને રૂ. ૩૫ લાખ મનીઓર્ડર મારફતે આવ્યા હતા. રોકડ રકમ ઉપરાંત ટ્રસ્ટમાં રૂપિયા ૭૩ લાખની કિંમતનાં ૨.૯૦ કિલોગ્રામ સોનાનાં ઘરેણાં જમા થયાં હતાં.
2
નોટબંધીની જાહેરાત બાદ ૫૦ દિવસમાં સંસ્થાનમાં રૂપિયા ૧૮.૯૬ કરોડ દાનપેટીમાં જમા થયા હતા. રૂપિયા ૨.૬૨ કરોડ સહિતની રૂ. ૪.૨૫ કરોડની રકમ વિવિધ કાઉન્ટર પર ક્રેડિટ અને ડેબિટ કાર્ડ મારફતે આવી હતી. રૂપિયા ૩.૯૬ કરોડ બેંકના ડિમાન્ડ ડ્રાફટરૂપે આવ્યા હતા.
3
શિરડીઃ સરકાર તરફતી નોટબંધીની જાહેરાત કર્યાના 50 દિવસ શ્રી સાઈબાબા સંસ્થાન ટ્રસ્ટને કુલ 31.73 કરોડ રૂપિયાનું દાન મળ્યું છે. મંદિરના એક અધિકારી સચિન તાંબેએ જણાવ્યું કે જૂની 500 અને 1000 રૂપિયાની જૂની નોટમાં કુલ 4.53 કરડો રૂપિયાનું દાન આવ્યું. જ્યારે 3.58 કરોડ રૂપિયાની નવી 200 અને 500ની નોટ આવી.