✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ઉપવાસના 12 દિવસે શિવસેનાએ હાર્દિકના આંદોલનને આપ્યું ખુલ્લુ સમર્થન, ઉદ્વવ ઠાકરેએ કરી પ્રેસ કૉન્ફરન્સ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Sep 2018 03:30 PM (IST)
1

અમદાવાદઃ ઉપવાસના 12માં દિવસે પાટીદાર નેતા હાર્દિક પટેલને રાજકીય પક્ષ શિવસેનાએ સમર્થન જાહેર કર્યું છે. શિવસેના અધ્યક્ષ ઉદ્વવ ઠાકરેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને ટેકો જાહેર કર્યો છે. હાર્દિક પટેલ છેલ્લા 11 દિવસથી ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત અપાવવા અને ખેડૂતોના દેવા માફી માટે સરકાર સામે ઉપવાસ પર બેઠો છે.

2

ઉપવાસ આંદોલનના 12 દિવસ થવા છતાં કોઇ નિવેડો આવ્યો નથી પણ ભાજપ - કોંગ્રેસ આ મુદ્દે એકબીજા સામે આરોપ-પ્રત્યારોપ લગાવી રહી છે. ભાજપે હાર્દિકના આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યુ છે.

3

ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે ભાજપના પૂર્વ દિગ્ગજ નેતા યશવંત સિન્હા અને સાંસદ શત્રુઘ્ન સિન્હા હાર્દિકને તેના નિવાસ સ્થાને મળ્યા હતા, તેમને પણ હાર્દિકને ટેકો આપ્યો હતો. તેમને કહ્યું હાર્દિકના મુદ્દાઓ અને માંગોને દેશભરમાં લઇ જઇશું.

4

5

6

શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પ્રેસ કૉન્ફરન્સ કરીને કહ્યું કે, હાર્દિકના ઉપવાસ આંદોલનમા અમે તેની સાથે છીએ, સાથે હાર્દિક પટેલને પારણાં કરી લેવા પણ વિનંતી કરી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • ઉપવાસના 12 દિવસે શિવસેનાએ હાર્દિકના આંદોલનને આપ્યું ખુલ્લુ સમર્થન, ઉદ્વવ ઠાકરેએ કરી પ્રેસ કૉન્ફરન્સ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.