કેબિનેટ ફેરબદલને લઈને શિવસેના નારાજ, કહ્યું- ભાજપને બહુમતનો ઘમંડ
શિવસેના સાંસદે કહ્યું કે, ભાજપનું રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનનું અસ્તિત્વ માત્ર કાગળો પર જ છે. આ માત્ર ગઠબંધનના સહયોગી પાર્ટીની બેઠક સુધી જ સીમિત છે. રાઉતે કહ્યું કે, ભાજપને ઘમંડ આવી ગયો છે. પરંતું અમે તેના પર ધ્યાન નથી આપી રહ્યા. અમે મંત્રીપદ કે સત્તાના ભૂખ્યા નથી. વિસ્તરણ રાજનીતિક કારણોના આંકડાનો ખેલ હોય છે. અમે યોગ્ય સમયે ઉચિત રૂપ અપનાવીશું. ભાજપાની લાંબા સમયથી સહયોગી હોવા છતા શિવસેના અનેક મુદ્દા પર ભાજપ સાથે ટકરાવની સ્થિતિમાં રહે છે. કેબિનેટ વિસ્તરણમાં શિવસેનાના એકમાત્ર સભ્યના રૂપમાં ભારે ઉદ્યોગમંત્રી તરીકે અનંત ગીતે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: વડાપ્રધાન મોદી સરકાર દ્વારા કેન્દ્રીય મંત્રીપરિષદમાં ફેરબદલને લઈને શિવસેનાના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, રાજગ ‘મૃતપ્રાય’ છે અને ભાજપને માત્ર તેની યાદ ત્યારે જ આવે છે જ્યારે તેને સમર્થમનની જરૂર પડે છે. રાઉતે કહ્યું કે, આ એનડીએનું નહીં પણ માત્ર ભાજપ કેબિનેટનું ફેરબદલ કરવામાં આવ્યું છે. તેના પહેલા પણ મોદી કેબિનેટનો બીજો કેબિનેટ વિસ્તરણ થયો હતો તે પણ માત્ર ભાજપનું જ હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -