સિદ્ધરમૈયાએ PM મોદીને મોકલી કાયદાકીય નોટિસ, માફી માંગે નહી તો થશે 100 કરોડની માનહાનિનો દાવો
પીએમ મોદી પર કટાક્ષ કરતાં રાહુલે કહ્યુ હતું કે તેઓ હંમેશાં સ્પીકર અને એયરપ્લેન મોડ પર રહે છે, તેમણે કહ્યું કે મોબાઈલ ફોનમાં 3 મોડ હોય છે. વર્કમોડ, સ્પીકર મોડ અને એયરપ્લેન મોડ. પરંતુ તેઓ ક્યારેય પણ વર્કમોડનો ઉપયોગ કરતા નથી. તેઓ ખાલી સ્પીકર કાં તો એયરપ્લેન મોડનો જ ઉપયોગ કરે છે.
સિદ્ધારમૈયાએ ધમકી આપી છે કે જો બીજેપી અને પીએમ મોદીએ માફી નહી માંગી તો તેઓ અપરાધીક અને માનહાનીનો દાવો કરશે. ત્યા કોંગ્રેસે ધમકી આપી છે કે તેઓ આ મામલે 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો માંડશે.
બેંગલૂરૂ: કર્ણાટકનાં મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહ, બીએસ યેદિયુરપ્પા અને ભારતીય જનતા પાર્ટીને 6 પાનાની કાયદાકીય નોટીસ મોકલી આપી છે.
સિદ્ધારમૈયાએ પ્રધાનમંત્રી મોદી પાસે પ્રચારનાં ભાષણ દરમ્યાન કોંગ્રેસ સરકાર પર લગાવેલા આરોપો માટે માફી માંગવાની વાત કરી છે. આ નોટીસમાં ભાજપનાં રાજ્યમાં ચુંટણીલક્ષી જાહેરાતોનો હવાલો આપવામાં આવ્યો છે. આ જાહેરાતમાં સિદ્ધારમૈયા સરકારને નિશાન બનાવવામાં આવેલ છે.