Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
સ્મૃતિ ઈરાની મોદીની 'ગુડ બુક' માં નથી? ક્યા મહત્વના હોદ્દા પરથી ખસેડી દેવાયાં? જાણો વિગત
નવી દિલ્હીઃ એકસમયે મોદીના ખાસ ગણતા નેતામાં સૌથી ટૉપ પર રહેનારી સ્મૃતિ ઇરાની હવે મોદીની ગુડ બુકમાં નથી એવું લાગી રહ્યું છે. રવિવારે સ્મૃતિ ઇરાનીને વધુ એક ઝટકો લાગ્યો છે. સ્મૃતિ ઇરાની પાસેથી વધુ એક હોદ્દો છીનવી લેવાયો છે. કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પાસેથી માહિતી-પ્રસારણ મંત્રાલય છીનવી લીધા બાદ રવિવારે તેમને નીતિ ઓયોગના ખાસ આમંત્રિત સભ્ય પદથી દુર કરી દેવાયા છે, હવે તેમની જગ્યાએ પ્રકાશ જાવડેકર આ પદ સંભાળશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોંગ્રેસ ધારાસભ્ય અમિત ચાવડાએ પોતાના ટ્વીટમાં લખ્યું હતું, 'સ્મૃતિ ઇરાની પર પોતાના સાંસદ નીધિનો દુરપયોગનોનો પણ આરોપ લગાવ્યો છે. ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ સ્મૃતિ ઇરાની પર ચાવડાએ આરોપ લગાવ્યો, 'સ્મૃતિ ઇરાની અને તેમના સ્ટાફે શારદા મજૂર કામદાર સહકારી મંડળીનો ઠેકો આપવા માટે અધિકારીને મજબૂર કર્યા.'
પણ હવે તેની જગ્યાએ પ્રકાશ જાવડેકરને આ પદ માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે પ્રકાશ જાવડેકર હાલમાં માનવ સંશાધન મંત્રી પણ છે. ઉપરાંતત રાવ ઇન્દ્રજીત સિંહનો નીતિ આયોગના પૂર્વ સદસ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની પર સાંસદ નીધિનો દુરપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. આ ગંભીર આરોપ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ અમિત ચાવડાએ લગાવ્યા હતા.
આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 17 જૂને ગવર્નિંગ કાઉન્સિંગની મીટિંગ કરવાના છે. ઉલ્લેખનીય છે કે, 15 મેએ સ્મૃતિ ઇરાની પાસેથી માહિતી પ્રસારણ મંત્રાલય પાછુ લઇ લેવામાં આવ્યું હતું. સ્મૃતિ ઇરાની કાપડ મંત્રાલય જોઇ રહી છે.
ઉલ્લેખનીય છે કે, સ્મૃતિ ઇરાનીને નીતિ આયોગમાં સ્પેશ્યલ સભ્ય પદ પરથી છુટ્ટી કરી દેવાઇ છે. સ્મૃતિ ઇરાની જ્યારે માનવ સંશાધન મંત્રી બની હતી ત્યારથી નીતિ આયોગની સભ્ય હતા. તેનું મંત્રાલય બદલાઇ જવા છતાં નીતિ આયોગમાં વિશેષ આમંત્રિત સદસ્યો વાળો હોદ્દો યથાવત રાખ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -