સ્મૃતિ ઈરાનીએ ક્યારે રાજકારણ છોડી દેવાની કરી જાહેરાત? નરેન્દ્ર મોદી સાથે આ જાહેરાતને શું છે સંબંધ? જાણો વિગત

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એક સનસની નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. આ નિવેદન તેમના રાજકીય સન્યાસને લઇને આપ્યું છે. સ્મૃતિ ઇરાની ક્યારે ક્યારે રાજકારણ છોડી દેશે તેનો જવાબ એક કાર્યક્રમમાં સ્મૃતિએ જાતે આપ્યો હતો.
જ્યારે સ્મૃતિ ઇરાનીને પુછવામાં આવ્યુ કે, 2019માં બીજેપી સત્તામાં આવશે કે નહીં, આના પર સ્મૃતિએ કહ્યું કે, લોકોને લાગે છે કે મોદીજી રાજકારણમાં વધારે દિવસ નહીં રહી શકે, પણ હું વિશ્વાસ સાથે કહુ છું કે મોદી વર્ષો સુધી રહેશે.
રવિવારે પૂણેમાં યોજાયેલા એક કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે રાજકારણમાંથી રિટાયર થઇ જશે ત્યારે હું પણ રાજકારણ છોડી દઇશ.
નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીએ એક સનસની નિવેદન આપીને બધાને ચોંકાવી દીધા છે. આ નિવેદન તેમના રાજકીય સન્યાસને લઇને આપ્યું છે. સ્મૃતિ ઇરાની ક્યારે ક્યારે રાજકારણ છોડી દેશે તેનો જવાબ એક કાર્યક્રમમાં સ્મૃતિએ જાતે આપ્યો હતો.