ગુરમીત રામ રહીમ માટે જેલમાં ખાસ બંદોબસ્ત કરવામાં આવ્યો
ગુરમીતને દોષીત જાહેર કર્યા બાદ તરત જ સિરસા સ્થિત ડેરા સચ્ચા સૌદાના સમર્થકોની ગુંડાગર્દી જોવા મળી હતી અને સુરાક્ષાદળો સાથે ઘર્ષણ થયું, જેમાં ઓછામાં ઓછા 30 લોકો માર્યા ગયા અને 250થી વધારે લોકો ઘાયલ થયા. પંચકુલામં 28 લોકોના મોત થયા છે જ્યારે સિરસામાં બે લોકો માર્યા ગયા છે. ડેપ્યુટી કમિશ્નરે કહ્યું કે, રોહતકમાં સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
રોહતકના ડેપ્યુટી કમિશ્નર અતુલ કુમારે જણાવ્યું કે, ગુરમીમત રામ રહીને સુનરિયામાં એક જેલમાં રાખવામાં આવ્યા છે. જેલની આસપાસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવ્યો છે. સીબીઆઈના વકીલ એચ પી એસ વર્મા અનુસાર પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટના જજ જગદીપ સિંહે ગુરમીતને દોષીત જાહેર કર્યા બાદ કહ્યું કે, રામ રહીમને 28 ઓગસ્ટના રોજ સજા સંભળાવવામાં આવશે.
કહેવાય છે કે, ગુરમીત રામ રહીમને જેલમાં એક અસિસ્ટન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે જે તેમની જરૂરતને ધ્યાનમાં રાખશે. ઉપરાંત તે જેલમાં પોતાના કપડા પહેરી શકશે જ્યારે અન્ય કેદીઓને જેલમાંથી આપવામાં આવતા કપડા જ પહેરવા પડે છે.
રોહતકઃ સાધ્વીના બળાત્કારના મામલે દોષીત જાહેર કરવામાં આવેલ ડેટા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીમ રામ રહીમ સિંહને રોહતક જિલ્લાના સુનરિયા સ્થિત એક જેલમાં રાખવામાં આવ્યા છે. મીડિયા અહેવાલ અનુસાર તેમને અલગ સેલમાં રાખવામાં વ્યા છે. અન્ય કેદીઓથી અલગ રામ રહીમ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. અહેવાલ અનુસાર જેલમાં તેમના માટે પીવા માટે મિનરલ વોટરની વ્યવસ્થા કરવામાં આવી છે. જણાવીએ કે પંચકૂલા સ્થિત સ્પેશિયલ સીબીઆઈ કોર્ટેથી તેમને હેલિકોપ્ટરથી રોહતક લઈ જવામાં આવ્યા હતા.