Election 2024 Exit Polls
(Source: Dainik Bhaskar)
રાજ્ય સરકાર પણ આધાર કાર્ડ કરશે ફરજીયાત, જાણો ક્યા લાભ માટે પડશે જરૂર?
આધાર બિલમાં જાહેર વિતરણ વ્યવસ્થા સહિત વિવિધ યોજનાઓ માટે જોગવાઇ ઉપરાંત આધાર કાર્ડના ડેટાની સલામતિ અંગે પણ જોગવાઇ થશે. બાયોમેટ્રીક અને બેન્ક એકાઉન્ટ સહિતની માહિતી લીક કરવા સામે કાયદાકીય પગલાં લેવાની જોગવાઇ કાયદામાં કરવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાતમાં વસ્તીના 91 ટકા લોકો આધાર કાર્ડ ધરાવતા હોવાનો દાવો રાજ્ય સરકારે કર્યો છે, તેમાં પણ 18 વર્ષથી વધુ વય ધરાવતા 99 ટકા લોકો આધાર કાર્ડ ધરાવે છે. છતાં જે લોકો પાસે આધાર કાર્ડ નથી તેમને સરકારી લાભ મળતો અટકે નહીં તેવો વિકલ્પ પણ ખુલ્લો રખાશે.
રાજય સરકાર પણ હવે તેની તમામ સેવાઓ સાથે આધાર કાર્ડ સાથે જોડશે. ગત વર્ષે કેન્દ્ર સરકારે આધાર બિલને મનીબિલ તરીકે લોકસભામાં પસાર કર્યું હતું. જેના પગલે કેન્દ્ર સરકારની મહત્તમ યોજનાઓ આધાર સાથે જોડાઇ છે, હવે આ જ પ્રકારે ગુજરાત સરકારની યોજનાઓ માટે રાજ્ય સરકાર વિધાનસભામાં આધાર બિલ રજૂ કરવા જઇ રહી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
અમદાવાદ: કેન્દ્ર સરકારની જેમ હવે ગુજરાત સરકાર પણ રાજ્યની મહત્વની સરકારી યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત કરવા જઇ રહી છે. આગામી વિધાનસભામાં આ માટેનું વિધેયક રજૂ કરાશે. સબસિડી અને આર્થિક સહાયની યોજનાઓ માટે આધાર કાર્ડ ફરજિયાત બનાવાશે સાથે બેન્કીંગ વ્યવહારો અને પગાર-પેન્શન માટે પણ આધાર સીડીંગ ફરજિયાત બનશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -