✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સુનંદા પુષ્કર કેસઃ હવે શશિ થરૂર પર ચાલશે કેસ, 7 જુલાઈએ હાજર રહેવા કોર્ટનો આદેશ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 Jun 2018 04:19 PM (IST)
1

નવી દિલ્લી: કૉંગ્રેસ નેતા અને કોચ્ચિથી લોકસભાના સાંસદ શશિ થરૂરને પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે દિલ્લી પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લેતા શશિ થરૂરને સમન્સ મોકલ્યું છે. શશિ થરૂરને 7 જૂલાઈના કોર્ટમાં પત્ની સુનંદા પુષ્કરના મોત મામલે હાજર થવું પડશે.

2

શશિ થરૂર અને સુનંદા પુષ્કરના લગ્ન 22 ઓગષ્ટ 2010માં થયા હતા અને 17 જાન્યુઆરી 2014ના સુનંદા મૃત હાલતમાં મળી આવ્યા હતા.

3

ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કરનું મોત જાન્યુઆરી 2014માં એક ફાઈવ સ્ટાર હોટલમાં થયું હતું. મોત બાદ 4 વર્ષ સુધી પોલીસ આ મામલે તપાસ કરતી રહી, ઘણી વખત શશિ થરૂરની પુછપરછ પણ કરવામાં આવી. ત્યારબાદ ગત મહિને પોલીસે થરૂરને આરોપી બનાવતા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.

4

દિલ્લી પોલીસે સુનંદા પુષ્કરના મોત મામલે કોર્ટે શશિ થરૂરને આરોપી બનાવતા ચાર્જશીટ દાખલ કરી છે. ચાર્જશીટમાં આઈપીસી ઘારા 498 ઉત્પીડન અને ઘારા 306 આત્મહત્યા માટે ઉશકેરવાની ઘારા લગાવવામાં આવી હતી.

  • હોમ
  • India-news
  • દેશ
  • સુનંદા પુષ્કર કેસઃ હવે શશિ થરૂર પર ચાલશે કેસ, 7 જુલાઈએ હાજર રહેવા કોર્ટનો આદેશ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.