દિલ્હી-NCRમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ નહીં થાય, સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છેકે, સાઈલેન્સ ઝોનના 100 મીટરની અંદર ફટાકડા ફોડી નહીં શકાય, એટલે કે હોસ્પિટલ, કોર્ટ, ધાર્મિક સ્થલ અને સ્કૂલ વગેરેના 100 મીટરની હદમાં ફટાકડા ફોડી નહીં શકાય. ઉપરાંત ફટાકડાના બનાવવામાં લિથિયમ, લેડ, પારો, એન્ટીમોની અને આર્સેનિકનો ઉપયોગ ન કરવાનો આદેશ છે.
વધુમાં વધુ 500 કાયમી લાઈસન્સ આપવામાં આવી શકે છે. કોર્ટે કહ્યું કે, 2016માં આપવામાં આવેલ લાઈસન્સમાંથી 50 ટકાને જ આ વખતે લાઈસન્સ આપવામાં આવશે. આ નિયમ એનસીઆરમાં પણ લાગુ કરવામાં આવશે એટલે કે 2016માં આપવામાં લાઈલન્સના અડધા જ આ વખતે આપવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે દિલ્હી અને એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર લાગેલ પ્રતિબંધ કેટલીક શરતો સાથે હટાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના વેચાણ માટે પોલીસની નજર હેઠળ લાઈસન્સ આપવામાં આવે.
નવી દિલ્હીઃ દિલ્હી અને NCRમાં દિવાળી પર ફટાકડાનું વેચાણ નહીં કરી શકાય. 11 નવેમ્બર 2016નો વેચાણ પર પ્રતિબંધનો આદેશ ફરીથી જળવાઈ રહેશે. કોર્ટે તમામ લાઈસન્સ કાયમી અને કામચલાઉ બન્ને તાત્કાલીક અસરથી રદ્દ કરવામાં આવ્યા છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ પ્રતિબંધ 1 નવેમ્બર 2017 સુધી યથાવત રહેશે. કોર્ટે 12 સપ્ટેમ્બરના પ્રતિબંધના આદેશમાં સંશોધન કર્યું છે. 1 નવેમ્બરથી ફટાકડાનું વેચાણ થઈ શકશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, એક વખત જોવા માગીએ છીએ કે દિવાળી શું સ્થિતિ થાય છે?