✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

ફિક્સ પગારદારોના કેસમાં હવે ક્યારે છે સુનાવણી ? સુપ્રીમ કોર્ટ શું આપી શકે નવા લાભ ? જાણો મહત્વની વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  02 Mar 2017 10:32 AM (IST)
ફિક્સ પગારદારોના કેસમાં હવે ક્યારે છે સુનાવણી ? સુપ્રીમ કોર્ટ શું આપી શકે નવા લાભ ? જાણો મહત્વની વિગત
1

અમદાવાદ: રાજ્યના હજારો ફિક્સ પગારદારોને ગુજરાતની વિજય રૂપાણી સરકારે જંગી પગાર વધારો આપીને ખુશ કરી દીધા તેના કારણે સુપ્રીમ કોર્ટમાં ચાલતા ફિક્સ પગાર અંગેના કેસની વાત ભૂલાઈ ગઈ છે. આ કેસની સુપ્રીમ કોર્ટમા હવે પછી ક્યારે સુનાવણી થશે તેની ચર્ચા હવે ફિક્સ પગારદારો પણ કરતા નથી.

2

અલબત્ત સુપ્રીમ કોર્ટે ગુજરાતના ફિક્સ પગારદારોના કેસમાં હવે પછી સુનાવણીની તારીખ નક્કી નથી કરી પણ આ કેસને જેની સાથે જોડી દેવાયો તે રાજસ્થાનના ગોપાલ કુમાવતના કેસ સાથે જોડી દીધો છે. ગોપાલ કુમાવતે રાજસ્થાનમાં ફિક્સ પગારની પ્રથાને પડકારી હતી અને હાઈકોર્ટે તેને ગેરબંધારણીય ગણાવી હતી.

3

જો કે આ કેસમાં સુપ્રીમ કોર્ટના ચુકાદા પર તમામ બાબતોનો આધાર છે તે જોતાં હવે પછી ક્યારે સુનાવણી થશે તે જાણવું જરૂરી છે. સુપ્રીમ કોર્ટમાં ફિક્સ પગારદારો વતી આ કેસ યોગક્ષેમ ફાઉન્ડેશન લડે છે અને હવે પછી આ કેસમાં 31 માર્ચ, 2017ના રોજ સુનાવણી હાથ ધરાશે. આ સુનાવણી અંતિમ બની રહે તેવી શક્યતા છે.

4

સુપ્રીમ કોર્ટે ગુજરાતના ફિક્સ પગારદારોના કેસને રાજસ્થાનના કેસ સાથે જોડી દીધો છે. કુમાવતના કેસમાં 31 માર્ચ, 2017ના રોજ હવે પછીની સુનાવણી હાથ ધરાશે તેવું નક્કી થયું છે. આમ, ગુજરાતના કેસમાં પણ 31 માર્ચના રોજ સુપ્રીમ કોર્ટ સુનાવણી કરીને ચુકાદો આપે તેવી શક્યતા છે.

5

ગુજરાતના ફિક્સ પગારદારો માટે 31 માર્ચ,2017ની સુનાવણી મહત્વની છે કેમ કે એ દિવસે ગુજરાત સરકાર દ્વારા કરાયેલા પગારવધારા અને બીજા લાભો અંગે સુપ્રીમ કોર્ટ પોતાનું વલણ સ્પષ્ટ કરશે. ગુજરાત સરકારે તે અંગેની પ્રક્રિયા આરંભી દીધી છે ત્યારે સુપ્રીમ તેના પર મંજૂરીની મહોર મારે છે કે નહીં તે જોવાનું રહે છે.

6

ફિક્સ પગારદારોની સિનિયોરીટી, બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણમાં નોકરી ગણતરીમાં લેવા અંગેનો ઠરાવ રાજ્યના નાણાં વિભાગે પસાર કરી દીધો છે છે. 2006 પછી ભરતી થયેલ તમામ વિભાગના ફિક્સ પગારમાં નોકરી કરતાં કર્મચારીઓને આ ઠરાવ લાગુ પડશે.

7

સુપ્રીમ કોર્ટ ફિક્સ પગારદારો માટે જાહેર કરાયેલા આ પગાર ધોરણને માન્ય ના રાખે અને તેમને કાયમી કર્મચારીઓના પગારધોરણનો લાભ આપવા આદેશ આપી શકે. સાથે સાથે કર્મચારીઓને તેમની ફિક્સ પગારની નોકરીમાં જોડાવાની તારીખથી પગારવધારો આપવાનો આદેશ પણ આપી શકે.

  • હોમ
  • India-news
  • દેશ
  • ફિક્સ પગારદારોના કેસમાં હવે ક્યારે છે સુનાવણી ? સુપ્રીમ કોર્ટ શું આપી શકે નવા લાભ ? જાણો મહત્વની વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.