✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

જમ્મુ-કાશ્મીર: પુલવામાં અથડામણમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  15 Dec 2018 11:43 AM (IST)
1

શનિવારે સવારે પુલવામા જિલ્લાનાં ખારપુરામાં સુરક્ષાદળોએ આતંકીઓ હોવાની સૂચનાના આધારે કોર્ડન એન્ડ સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું છે. આ દરમિયાન આતંકીઓએ સુરક્ષાદળો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. જવાબી ફાયરીંગમાં સુરક્ષાદળોએ હિઝબુલ કમાન્ડર જહૂર સહિત ત્રણ આતંકીઓને ઠાર કર્યા છે.

2

તપાસ અભિયાન દરમિયાન આતંકીઓએ તેમના પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષાદળોએ જવાબી કાર્યવાહી કરી અને અથડામણ શરૂ થઈ હતી. આ એનકાઉન્ટર દરમિયાન એક જવાન પણ શહીદ થયો છે. જ્યારે બે જવાન ઇજાગ્રસ્ત છે. આ ઉપરાંત એનકાઉન્ટર દરમિયાન એક યુવાનને પણ ગોળી વાગી છે. જે પછી હોબાળો મચ્યો હતો.

3

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં પુલવામાં સુરક્ષાદળો અને આતંકી વચ્ચે અથડામણમાં હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રણ આતંકીને ઠાર કરવામાં આવ્યા છે. આ અથડામણમાં એક જવાન પણ શહીદ થયો છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે સુરક્ષાદળોએ દક્ષિણ કાશ્મીરના પુલવામા જિલ્લામાં સિર્નૂ ગામમાં આતંકીઓ હાજર હોવાની સુચના મળી હતી ત્યારબાદ ગામમાં નાકાબંધી કરી તપાસ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

  • હોમ
  • India-news
  • દેશ
  • જમ્મુ-કાશ્મીર: પુલવામાં અથડામણમાં 3 આતંકી ઠાર, એક જવાન શહીદ
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.