અંદમાન નિકોબારના ત્રણ દ્વીપોના નામ બદલાયા, રોસ દ્વીપનું નામ નેતાજી સુભાષ ચંદ્ર બોઝ રાખ્યું
પોર્ટ બ્લેયર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંદમાન અને નિકોબારના ત્રણ દ્વીપોના નામ બદલવાની જાહેરાત કરી છે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝના અહીં તિરંગા લહેરાવાની 75મી વર્ષગાંઠ પર આ જાહેરાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રીએ ભાષણ દરમિયાન કહ્યું હતું કે રોસ દ્વીપનું નામ બદલીને નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વીપ રાખવામાં આવશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે આઝાદીના નાયકોને આખો દેશ નમન કરી રહ્યો છે. અમે આઝાદીના ગુમનામ નાયકોને ભૂલ્યા નથી. નેતાજી સુભાષ ચંદ્ર બોઝનું નામ લેવાથી ગૌરવ થાય છે. દેશ માટે અંદમાન તીર્થ જેવું છે.
નીલ દ્વીપને શહીદ દ્વીપ અને હેવલોક દ્વીપને સ્વરાજ દ્વીપના નામની ઓળખવામાં આવશે. નેતાજી સુભાષ ચંદ્ર બોઝ દ્વારા અહીં તિરંગો ફરકાવવાના 75મી વર્ષગાંઠ પર આ જાહેરાત કરી હતી. આ ખાસ પ્રસંગે પ્રધાનમંત્રીએ એક સ્મારક ડાક ટિકિટ, ફર્સ્ટ ડે કવર અને 75 રૂપિયાનો સિક્કો પણ જાહેર કર્યો હતો. સાથે તેમણે બોઝના નામે એક માનદ્ વિશ્વવિધ્યાલયની સ્થાપનાની પણ જાહેરાત કરી હતી.