✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

તિતલી વાવાઝોડું: આંધ્ર પ્રદેશમાં 8ના મોત, ઓડિશામાં વાવાઝોડાનો કહેર

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Oct 2018 04:53 PM (IST)
1

આ ભયાનક વાવાઝોડાથી બચવા માટે અલગ અલગ જિલ્લામાં એનડીઆરએફની 18 ટીમો તૈનાત કરવામાં આવી છે. વાવાઝોડાના કારણે 11 અને 12 તારીખે સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. કેટલીક રેલવે સેવાઓ બંધ કરવામાં આવી છે.

2

ભુવનેશ્વર: ચક્રવાતી ‘તિતલી’ વાવાઝોડાથી ઓડિશાના ગંજમ અને ગજપતિ જિલ્લામાં ભારે તબાહી મચી ગઈ છે. ઓડિશામાં 145 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે વૃક્ષો અને વીજળીના થાંભલા ઉખડી ગયા છે. અનેક કાચા મકાનો પણ ધરાશાઈ થઈ ગયા છે. આ વાવાઝોડાના કારણે આંધ્રપ્રદેશમાં 8 લોકોના મોત થયા છે.

3

ઓડિશામાં વાવાઝોડાના કારણે ગંજમ, ગજપતિ અને પુરી જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 12 કલાક સુધી ભારે વાવાઝોડાની ચેતવણી આપી છે.

4

આગામી થોડા કલાકમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ઝડપ 150 કિમી પ્રતિ કલાકથી વધીને 165 કિમી પ્રતિ કલાક થઈ જવાનો અંદાજ છે. રાજ્ય સરકારે પાંચ જિલ્લાના પૂર્વ કાંઠામાં રહેતાં અંદાજે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • તિતલી વાવાઝોડું: આંધ્ર પ્રદેશમાં 8ના મોત, ઓડિશામાં વાવાઝોડાનો કહેર
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.