✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

અક્ષય કુમારની પત્ની ટ્વિંકલે યોગી આદિત્યનાથને આપી અત્યંત વિચિત્ર સલાહ, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  26 Mar 2017 11:35 AM (IST)
1

ટ્વિંકલે એક ટ્વિટમાં પણ કહ્યું છે કે યોગી આદિત્યનાથ ફેશનમાં બદલાવ લાવ્યા છે. ટ્વિંકલે લખ્યું છે કે દિવાલ રંગવાના પેઈંટ બનાવતી કંપનીએ આકર્ષક કેસરિયા નામના રંગની ઘોષણા કરવી જોઈએ.

2

ઉલ્લેખનીય છે કે ફિલ્મ મેકર શિરીષ કુંદરે ટ્વિટ કર્યુ હતું, કુંદર આ કોમેન્ટ કરીને અટક્યા નહોતા. તેમણે એ પછી એવી ટ્વિટ પણ કરી કે, એક ગુંડાને મુખ્યમંત્રી બનાવવા પાછળનો તર્ક એ હોય કે તેના કારણે તે સારી રીતે વર્તશે તો પછી આ લોજિક હેઠળ તો દાઉદ ઈબ્રાહીમ સીબીઆઈનો ડિરેક્ટર હોવો જોઈએ અને વિજય માલયા રીઝર્વ બેંકનો ગવર્નર હોવો જોઈએ.

3

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર બોલીવુડની હસ્તીઓની આપત્તિજનક ટિપ્પણીઓ થઈ રહી છે. થોડા સમય પહેલા શિરીષ કુંદરે આપત્તિજનક ટ્વિટ કર્યુ હતું. જે પછી તેની સામે એફઆઈઆર કરવામાં આવી છે. હવે ટ્વિંકલ ખન્નાએ યોગી આદિત્યનાથને પેટમાંથી ગેસ કાઢવાની સલાહ આપી છે.

4

ઈંડિયા ટુડે વિમેન સમિટમાં શામેલ થયેલી ટ્વિંકલ ખન્નાને યોગી આદિત્યનાથ અને તેમણે આપેલા મહિલાઓ માટેના નિવેદન અંગે અભિપ્રાય જણાવવા માટે કહ્યું હતું. જેના પર ટિપ્પણી કરતા ટ્વિંકલે કહ્યું કે તેમણે એ પ્રકારના આસનો કરવા જોઈએ જે ગેસ દૂર કરવામાં મદદ કરે. આ નિવેદન પછી સોશિયલ મીડિયામાં ટ્વિંકલની ટીકા થઈ રહી છે.

5

આ પોલીસ ફરિયાદ નોંધાતાં ફફડી ગયેલા કુંદરે પોતાની ટ્વિટ ડીલીટ કરી નાંખી હતી. તેણે ટ્વિટ કરીને લોકોની માફી પણ માગી છે. કુંદરે લખ્યું છે કે, મારો ઈરાદો કોઈની લાગણી દુભાવવાનો નહોતો પણ છતાં એવું થયું હોય તો હું માફી માગું છું. કુંદર ફિલ્મ સર્જક અને કોરીયોગ્રાફર ફરાહ ખાનનો પતિ છે.

  • હોમ
  • India-news
  • દેશ
  • અક્ષય કુમારની પત્ની ટ્વિંકલે યોગી આદિત્યનાથને આપી અત્યંત વિચિત્ર સલાહ, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.