પંજાબની સહરદ પર 2 પાકિસ્તાની ઘુસણખોરોને BSFના જવાનોએ કર્યા ઠાર
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Sep 2017 02:03 PM (IST)
1
નવી દિલ્લી: અમૃતસના અજનાલા સેક્ટરમાં બીસેફના જવાનોએ બે ઘૂસણખોરને ઠાર કર્યા છે. ન્યૂઝ એજન્સી અનુસાર, બન્ને ઘૂસણખોર પાકિસ્તાનના હતા અને તે આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ભારતમાં ઘૂસવાની કોશિશ કરી રહ્યા હતા પરંતું તેના પહેલા બીએસએફના જવાનોએ તેને ઠાર માર્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર હજુ ઘૂસણખોરોનો પ્લાન શું હતો તે જાણવા મળ્યું નથી.
2
ઉલ્લેખનીય છે કે, ગત સોમવારે દિલ્લી પોલીસની સ્પેશિયલ ટીમે અલકાયદાના એક આતંકીને ઝડપી પાડ્યો હતો. આતંકીનું નામ શૂમોન હક છે, જે છેલ્લા ચાર વર્ષોથી આતંકી સંગઠન અલકાયદા સાથે જોડાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, પકડાયેલો આતંકી કોઈ મોટું કાવતરું કરવાના ફિરાકમાં હતો. પકડાયેલો આતંકીનું શોમોન હક જણાવવામાં આવી રહ્યું છે. જેની પાસેથી બિહારના કિશનગંજનું ઓળખપત્ર પણ જપ્ત કરવામાં આવ્યું છે.