રાહુલ ગાંધીની ભાષામાં ઉદ્વવ ઠાકરેએ મોદી પર સાધ્યુ નિશાન, જાહેરસભામાં કહ્યું- આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે
મુંબઇઃ રાહુલ ગાંધી બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. ઉદ્વવ ઠાકરેએ રાહુલની ભાષામાં મોદી પર રાફેલ વિમાન સોદા પર તીખા પ્રહાર કર્યો હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઉપરાંત ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં અછતગ્રસ્ત વિસ્તારો, પાક વિમા યોજના, અનામતનો મુદ્દો જેવા રાજ્યના સળગતા પ્રશ્નો મુદ્દે પણ વિચારો રજૂ કર્યો હતો.
આ સાથે નીતિશ અને પાસવાન પર નિશાન સાધતા પુછ્યુ કે આ બન્ને નેતાઓની રામ મંદિર મુદ્દે શુ મત છે. ઉદ્વવે કહ્યું કે, હું વારાણસી પણ જઇશ.
મહારાષ્ટ્રના પંઢરપુર જિલ્લામાં શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા બાદ ઉદ્વવ ઠાકરેએ એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમને પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે, આ નિવેદન તેમને રાફેલ ડીલ મામલે આપ્યુ હતુ.
- - - - - - - - - Advertisement - - - - - - - - -