રાહુલ ગાંધીની ભાષામાં ઉદ્વવ ઠાકરેએ મોદી પર સાધ્યુ નિશાન, જાહેરસભામાં કહ્યું- આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2018 10:02 AM (IST)
1
મુંબઇઃ રાહુલ ગાંધી બાદ હવે શિવસેના પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નિશાને લીધા છે. ઉદ્વવ ઠાકરેએ રાહુલની ભાષામાં મોદી પર રાફેલ વિમાન સોદા પર તીખા પ્રહાર કર્યો હતા.
2
3
ઉપરાંત ઉદ્વવ ઠાકરેએ મહારાષ્ટ્રમાં અછતગ્રસ્ત વિસ્તારો, પાક વિમા યોજના, અનામતનો મુદ્દો જેવા રાજ્યના સળગતા પ્રશ્નો મુદ્દે પણ વિચારો રજૂ કર્યો હતો.
4
આ સાથે નીતિશ અને પાસવાન પર નિશાન સાધતા પુછ્યુ કે આ બન્ને નેતાઓની રામ મંદિર મુદ્દે શુ મત છે. ઉદ્વવે કહ્યું કે, હું વારાણસી પણ જઇશ.
5
મહારાષ્ટ્રના પંઢરપુર જિલ્લામાં શ્રીકૃષ્ણ ભગવાનના અવતાર ભગવાન વિઠ્ઠલના દર્શન કર્યા બાદ ઉદ્વવ ઠાકરેએ એક મોટી જનસભાને સંબોધિત કરી હતી. અહીં તેમને પીએમ મોદી પર નિશાન તાકતા કહ્યું કે, આજકાલ ચોકીદાર જ ચોરી કરી રહ્યો છે, આ નિવેદન તેમને રાફેલ ડીલ મામલે આપ્યુ હતુ.