✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

EXCLUSIVE: ઉરી અટેક પર એક્શન માટે પીએમ મોદીએ વોર રૂમમાં વિતાવ્યા બે કલાક

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  22 Sep 2016 07:50 AM (IST)
1

નવી દિલ્હીઃ ઉરી આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનને લઈને દેશભરમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. સરકાર પર એક્શન લેવા માટે દબાણ વધતું જઈ રહ્યું છે. પરંતુ સરકારે સંજય જાળવી રાખ્યો છે અને એક્શનની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. આ તમામ ઘટનાઓ વચ્ચે એક્સક્લુસિવ સમાચાર એ છે કે 20 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદી બે કલાક સાઉથ બ્લોકમાં બનેલ વોર રૂમમાં વિતાવ્યા હતા. આ વોર રૂમમાં પીએમ મોદીની સાથે એનેસએ અજિત ડોવાલ, સેના પ્રમુખ દલબીર સુહાગ, વાયુસેના પ્રમુખ અરૂણ રાહા, નૌસેના પ્રમુખ સુનીલ લાંબી પણ હતા.

2

પ્રધાનમંત્રીના આ વોર રૂમમાં પાવર પોઈન્ટ પ્રેન્ઝન્ટેશન બતાવવામાં આવ્યું. પીએમની સામે રેતીમાંથી બનાવવામાં આવેલ મોડલ રાખવામાં આવ્યા. આ મોડલ પાકિસ્તાનમાં બનેલ આતંકવાદી કેમ્પ હતા. વોર રૂમમાં પીએમને એ જણાવવામાં આવ્યું કે, પાકિસ્તાનના આતંકવાદી કેમ્પનો નાશ કરી શકાય છે.

3

ઉરી હુમલા બાદ પાકિસ્તાન તરફતી રોજ આગમાં ઘી હોમવાનું કામ થઈ રહ્યું છે. આજ કામ ગઈકાલે સંયુક્ત રાષ્ટ્રમાં નવાઝ શરીફે કર્યું. સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાનના પીએમ નવાઝ શરીફે ગઈકાલે અંદાજે 20 મિનિટ સુધી ભાષણ આપ્યું. જે ઉરી હુમલાને લઈને ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ ઉભી થઈ છે તેના વિશે નવાઝ શરીપે એક શબ્દ પણ ઉચ્ચાર્યો ન હતો. તેણે બુરહાન વાની જેવા આતંકવાદીને શહીદ ગણાવ્યો હતો. એક દેશના પ્રધાનમંત્રી માટે એક આતંકવાદી હીરો બની ગયો.

  • હોમ
  • India-news
  • દેશ
  • EXCLUSIVE: ઉરી અટેક પર એક્શન માટે પીએમ મોદીએ વોર રૂમમાં વિતાવ્યા બે કલાક
About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.