52 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર VHP અધ્યક્ષ પદ માટે આજે ચૂંટણી, કયા બે ઉમેદવારો છે આમને-સામને, જાણો વિગત

રાઘવજી રેડ્ડીની જગ્યાએ જો વિષ્ણુપ્રસાદ કોકજે વિજયી બને તો પરિષદના તમામ હોદ્દા પર તેઓ પોતાના માનીતા અગ્રણીઓની નિમણૂંક કરશે. કાર્યકારી અધ્યક્ષ તરીકે તેઓ સુરેન્દ્ર જૈન અથવા ચંપતરાયની નિમણૂંક થાય તેવી શક્યતા છે. આ ભીતિ પરિષદના સૂત્રોમાં ચર્ચાઈ રહી છે.
2011થી વીએચપીના કાર્યકારી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની જવાબદારી નિભાવતા અને રામ મંદિર મુદ્દે સતત સરકાર સામે લડનાર ડો. પ્રવીણ તોગડિયાને સત્તાથી દૂર કરવાનું કારસ્તાન સરકારે સંઘના માધ્યમથી કર્યું છે. જો અધ્યક્ષ પદે હાલના અધ્યક્ષ રાઘવજી રેડ્ડી ચૂંટણી હારી જાય તો ડો. તોગડિયાને પણ હોદ્દા પરથી હટી જવું પડશે.
પ્રવિણ તોગડિયાએ જણાવ્યું હતું કે, ગુડગાંવમાં પ્રાંત અધ્યક્ષ, પ્રાંત મંત્રી તેમજ ટ્રસ્ટીઓ મળી જે 212 મતદારની યાદી બહાર પાડવામાં આવી છે તેમાં 37 મતદાર વીએચપીના બંધારણ પ્રમાણે મતદાન કરી શકે તેમ નથી. સરકારે પૂર્વ ગવર્નર અને હાઈકોર્ટના નિવૃત્ત જજ 79 વર્ષની ઉંમરના વિષ્ણુપ્રસાદ કોકજેની પસંદગી કરી છે જેમને વીએચપી સંગઠન સાથે આજ સુધી કોઈ લેવા દેવા નથી.
તોગડિયાએ કહ્યું હતું કે, હાલના અધ્યક્ષ રાઘવજી રેડ્ડીની ઉંમર 61 વર્ષ છે. તેમની સામે કોકજેને અધ્યક્ષ પદ માટે ઉમેદવાર બનાવાયા છે. તેમણે આજ સુધી ક્યારેય કોઈ હિન્દુ કે ધાર્મિક સંગઠન માટે કામ કર્યું નથી. હિન્દુ હિત માટે કામ કરતા અને તેમની સુરક્ષાની માગણી કરનારાને હટાવવા સરકાર કમર કસી રહી છે.
આ બેઠકમાં કોઈ એક નામ પર સહમતી થઈ નહોતી. આ વખતે પણ તે જ બંને ઉમેદવારોને એકસાથે આમને-સામને જોવા મળી રહ્યા છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય પ્રમુખ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને એમપી આ બન્નેમાંથી કોઈ એક ચૂંટણી જીતશે તે વીએચપીના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ પ્રવીણ તોગડીયાના સ્થાને આવશે.
વિશ્વ હિન્દુ પરિષદના 52 વર્ષમાં પ્રથમ વખત પોતાની આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદ માટે પસંદગી કરવામાં આવશે. આ પદ માટે બે ઉમેદવારો આમને-સામને છે અને કાઉન્સિલના સભ્યોમાં કોઈ એક ના નામ પર સમજૂતી થઈ નહોતી ત્યારબાદ ચૂંટણી યોજાવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે ગુરુગ્રામ ખાતે ચૂંટણી યોજવામાં આવશે. આ પહેલાં આંતરરાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણીઓ માટે ગયા વર્ષે 29 ડિસેમ્બરે ભુવનેશ્વરમાં વી.એચ.પી.ના સભ્યોની બેઠક યોજી હતી.
નવી દિલ્હી: અયોધ્યામાં રામમંદિરની માગણી સાથે 32 વર્ષથી દેશમાં આંદોલન ચલાવતા વિશ્વ હિન્દુ પરિષદને સરકારી સંગઠન બનાવવા કેન્દ્ર ષડયંત્ર કરી રહ્યું હોવાનો આક્ષેપ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાએ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સર્વસંમતિના બદલે પરિષદના 52 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર અધ્યક્ષ પદ માટે 14 એપ્રિલે ચૂંટણી થઈ રહી છે.