પશ્ચિમ બંગાળમાં હિંસા ભડકી, બે જુથો સામ-સામે આવતા 2 લોકોના મોત, 50થી વધુ ઘાયલ
BJP Supperers part in Bike Rally and celebrates the Ramnabami on March 25,2018 in Kolkata,Photo by Debajyoti Chakraborty,Kolkata
હિંસા દરમિયાન કેટલીયે દુકાનોને લુંટવામાં આવી અને જાહેર સંપતિ તથા વાહનોને પણ નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. પોલીસ હિંસાને કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે પણ અત્યારે તે તે પ્રયાસમાં પુરેપુરી સફળ નથી થઇ રહી.
ભાજપ તથા હિન્દુ સંગઠનોનો આરોપ છે કે રામનવમીના જુલુસ પર હુમલો કરાયા બાદથી જ હિંસા થઇ રહી છે. હિંસાને કાબુમાં કરવા માટે પહોંચેલા પોલીસ અધિકારી અરિંદમ દત્ત ચૌધરીનો હાથ બૉમ્બ વાગવાથી વધુ ઘાયલ થયો છે.
રિપોર્ટ્સ અનુસાર, રામનવમીના જુલુસને લઇને હિંસાની શરૂઆત થઇ હતી, પોલીસ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં તપાસ કરી રહી છે, જોકે, આ વિસ્તારોમાં હજુ સુધી તનાવપૂર્ણ માહોલ જ છે. મંગળવારે સવારે રાનીગંજમાં બે જુથો સામ સામે આવી ગયા અને બાદમાં બૉમ્બબાજી પણ થઇ હતી.
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં સાંપ્રદાયિક હિંસા ભડકી ઉઠી છે. રાનીગંજ, મુર્શિદાબાદ અને ઉત્તર 24 પરગનામાં હિંસક અથડામણ થઇ છે, જેમાં અત્યાર સુધીમાં બે લોકોના મોત થઇ ચૂક્યા છે જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થઇ ચૂક્યા છે. હિંસામાં કેટલીયે દુકાનો અને મકાનોને પણ નુકશાન થયું છે.